અભિનેત્રી સાયરા બાનોની તબિયત લથડી : મુંબઈની હિંદુજા હોસ્પિટલના ICU માં દાખલ

અભિનેત્રી સાયરા બાનોની તબિયત લથડી : મુંબઈની હિંદુજા હોસ્પિટલના ICU માં દાખલ

09/01/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

અભિનેત્રી સાયરા બાનોની તબિયત લથડી : મુંબઈની હિંદુજા હોસ્પિટલના ICU માં દાખલ

મુંબઈ: દિગ્ગજ અભિનેતા સ્વ. દિલીપ કુમારના પત્ની સાયરા બાનોની તબિયત લથડી હોવાના સમાચાર આવી રહ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ચાલી રહી છે. દાખલ કરવામાં આવ્યા બાદ તેમને ICU માં ખસેડવામાં આવ્યા છે.


રિપોર્ટ્સ અનુસાર, સાયરા બાનોને ત્રણ દિવસ પહેલા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્લડ પ્રેશરની સમસ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો ન આવવાથી હવે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

અહેવાલો અનુસાર, તેમની તબિયત સ્થિર છે પરંતુ બ્લડ પ્રેશર નોર્મલ થઇ રહ્યું નથી. તેમજ ઓક્સિજન લેવલ ઓછું રહેવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હાલ ડોકટરો જરૂરી તમામ ટેસ્ટ કરી રહ્યા છે અને હજુ થોડા દિવસો તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સાયરા બાનોએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1961 માં ફિલ્મ જંગલીથી કરી હતી. આ પછી તેમણે પડોસન, પુરબ ઔર પશ્ચિમ, જમીર જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. સાયરા બાનોએ માત્ર આઠ વર્ષની વયે દિલીપ કુમાર સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. તેમની ઉંમર દિલીપકુમાર કરતા 22 વર્ષ ઓછી છે.

સાયરા બાનુને અભિનય વારસામાં મળ્યો હતો. તેમની માતા નસીમ બાનો 30 અને 40 ના દાયકાની મોટી અભિનેત્રી હતી. તેમજ તેમના પિતા મિયા એહસાન-ઉલ-હક મોટા નિર્માતા હતા. સાયરા બાનુની ઉંમર બહુ નાની હતી ત્યારે જ તેમના માતા અને પિતા અલગ થઇ ગયા હતા. તેમનું બાળપણ લંડનમાં વીત્યું હતું.

તેમના પતિ દિલીપકુમારનું નિધન ગત 7 જુલાઈના રોજ મુંબઈમાં થયું હતું. લાંબા સમય સુધી બીમાર રહ્યા બાદ તેમણે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top