અભિનેતા અક્ષય કુમારના જન્મદિનના એક દિવસ પહેલા માતાનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
મુંબઈ: અભિનેતા અક્ષયકુમારની માતાનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અભિનેતા અક્ષયકુમારે સોશિયલ મીડિયા ઉપર માતાના નિધનના સમાચાર આપ્યા છે.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર કહ્યું, ‘તે મારા જીવનનો મહત્વનો ભાગ હતી. આજે હું અસહ્ય પીડા અનુભવી રહ્યો છું. મારી માતા અરુણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરી મળી ગઈ છે. હું આપ સૌની દુઆઓનો આદર કરું છું. કારણ કે હું અને મારો પરિવાર એક મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. ઓમ શાંતિ.’
નોંધવું જરૂરી છે કે આવતીકાલે એટલે કે 9 મી સપ્ટેમ્બરના રોજ અભિનેતા અક્ષય કુમારનો જન્મદિવસ છે. પુત્રના જન્મદિનના માત્ર એક દિવસ પહેલા માતાએ અંતિમ શ્વાસ લીધા હતા. અક્ષય કુમાર આવતીકાલે 53 વર્ષ પૂર્ણ કરશે.
View this post on Instagram A post shared by Akshay Kumar (@akshaykumar)
A post shared by Akshay Kumar (@akshaykumar)
77 વર્ષીય અરુણા ભાટિયાની તબિયત છેલ્લા ઘણા સમયથી નરમ રહેતી હતી. તેમજ હાલમાં જ તેમના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. ગત 3 સપ્ટેમ્બરના રોજ તેમને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આઈસીયુમાં દાખલ હતા અને તબિયત વધુ બગડતી જતી હતી. માતાની તબિયત અંગે જાણકારી મળ્યા બાદ અભિનેતા અક્ષય કુમાર લંડનથી મુંબઈ પરત ફર્યા હતા. અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ સિંડરેલાનું શૂટિંગ કરી રહ્યા હતા.
ત્યારબાદ 7 સપ્ટેમ્બરે અક્ષય કુમારે વધુ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમની બીમાર માતાના સ્વાસ્થ્ય માટે દુઆ કરતા ચાહકોનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું, મારી માતા માટે આપ સૌની ચિંતા વિશે શબ્દોમાં કહી શકાતું નથી. આ મારા અને પરિવાર માટે કઠિન સમય છે. તમારી દરેક પ્રાર્થના અમને બળ આપશે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp