'ધ કાશ્મીર ફાઇલ્સ'ના એક્ટર અનુપમ ખેરે ઉદયપુરની ઘટના અંગે આપી પ્રતિક્રિયા; તેમના મોઢામાંથી માત્ર ત્રણ જ શબ્દો નીકળ્યા
નેશનલ ડેસ્ક : ઉદયપુરમાં કન્હૈયા લાલ નામની વ્યક્તિની ઘાતકી હત્યાને લઈને દેશભરમાં આક્રોશ છે. ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે. આ હત્યામાં સંડોવાયેલા ગુનેગારોને કડકમાં કડક સજાની માંગ દરેક લોકો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના અભિનેતા અનુપમ ખેરની લેટેસ્ટ પોસ્ટ લાઈમલાઈટમાં આવી છે, જેને જોઈને સ્પષ્ટ થાય છે કે તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે.
અનુપમ ખેરે ઉદયપુરની ઘટનાને લઈને ટ્વિટર દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. આ મામલા બાદ અનુપમ ખેરને ખૂબ જ આઘાત લાગ્યો છે, એટલે જ જેમણે દરેક મામલે વીડિયો અને લાંબી પોસ્ટ દ્વારા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે એવા અનુપમના મોઢામાંથી માત્ર ત્રણ જ શબ્દો નીકળ્યા. તેણે #KanhaiyaLal નો ઉપયોગ કરીને પોતાની પોસ્ટમાં લખ્યું - 'હું ડરી ગયો છું... દુઃખી છું... ગુસ્સે છું'.
અનુપમ ખેરની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સના રિએક્શનને જોતા ઘણા લોકો તેમની સાથે સહમત દેખાઈ રહ્યા છે. લોકોએ ટિપ્પણીઓ દ્વારા દોષિતોને ફાંસી આપવાની માંગ કરી છે. તે જ સમયે, અનુપમ ખેર પહેલા પણ, કંગના રનૌતથી લઈને સ્વરા ભાસ્કર સુધીની ઘણી હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા આ કેસને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
જણાવી દઈએ કે રાજસ્થાન પોલીસે હત્યાના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંનેની રાજસમંદ પોલીસે ભીમ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. હત્યારાઓની ઓળખ રિયાઝ અને મોહમ્મદ ગૌસ તરીકે થઈ હતી. બંને ઉદયપુરના સૂરજપોલ વિસ્તારના રહેવાસી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp