મુંબઈ કોર્ટમાં આજે આર્યન ખાનની જામીન અરજીની થઇ સુનવણી!!! જામીનને લઈને ખાન પરિવાર ચિંતિત!!

મુંબઈ કોર્ટમાં આજે આર્યન ખાનની જામીન અરજીની થઇ સુનવણી!!! જામીનને લઈને ખાન પરિવાર ચિંતિત!!

10/13/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

મુંબઈ કોર્ટમાં આજે આર્યન ખાનની જામીન અરજીની થઇ સુનવણી!!! જામીનને લઈને ખાન પરિવાર ચિંતિત!!

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની(Aryan Khan) કરાયેલ ડ્રગ્સ કેસમાં(Drug Case) ધરપકડ કરાયા બાદ કેટલા દિવસથી તેને જેલમાં રાખવામાં આવ્યો છે. આજે સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આર્યન ખાનના વકીલ અમિત દેસાઈ કેસની સુનાવણી માટે કોર્ટરૂમમાં પહોંચ્યા હતા અને તેમની  સાથે શાહરુખ ખાનના મેનેજર પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. NCB એ સવારે 11 વાગે જામીન અરજી પર લેખિતમાં જવાબ આપવાનો હતો. આર્યન ખાનની સાથે NCB ના વકીલ એએમ ચિમલકર પણ કોર્ટ પહોંચ્યા હતા.


પહેલા સોમવારના રોજ કોર્ટ દ્વારા સુનવણી કરવામાં આવવાની હતી પરંતુ કોઈક કારણોસર કોર્ટે સુનાવણી મુલતવી રાખી હતી, ત્યારબાદ આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટની જામીન અરજીઓની આગામી સુનાવણી બુધવાર માટે નક્કી કરવામાં આવી હતી. NCB દ્વારા પહેલા જામીન પર જવાબ દાખલ કરાયા બાદ કોર્ટ નક્કી કરવાનું રહેશે કે આર્યન ખાનને જામીન આપવો કે નહીં. આર્યનના પક્ષ તરફથી સતીશ મણેશીંદે અને તેમની આખી ટીમ કોર્ટમાં હાજર થઇ હતી. આર્યન ખાનના વકીલ સતીશ મણેશીંદેએ કહ્યું કે, સ્વાભાવિક છે કે જો જામીન અરજી ફગાવી દેવામાં આવશે તો અમે હાઈકોર્ટમાં જઈશું. અમે મુંબઈની વિશેષ એનડીપીએસ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.


મુંબઈના મેજિસ્ટ્રેટે જામીન અરજી ફગાવી દીધી હતી :

આજની સુનવણીમાં આર્યન ખાનની સાથે સાથે નુપૂર સારિકા, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, શ્રેયશ નાયર, અવિન સાહુ, આચિત અને મોહક જસ્વાલની અરજી  ઉપર પણ સુનવણી થવાની છે. આ પહેલા શુક્રવારે મુંબઈની એક કોર્ટે આર્યન ખાન અને અન્ય બેની જામીન અરજી ફગાવી દીધી હતી. ક્રુઝ શિપ પર ડ્રગ પાર્ટી કરવાનો આરોપ ધરાવતા આર્યન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી ફોર્ટ કોર્ટમાં સાંભળવામાં આવી હતી અને ટૂંકી સુનાવણી બાદ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તેઓ અત્યારે જામીન.મેળવી શકશે નહીં


ખાન પરિવાર હવે ખૂબ જ બેચેન સ્થિતિમાં :

ખાન પરિવાર હવે ખૂબ જ બેચેન સ્થિતિમાં :

કમાલ આર ખાન ઉર્ફે KRK એ એક ટ્વીટમાં દાવો કર્યો છે કે આર્યન ખાનની ધરપકડ બાદ ઘણા સ્ટાર કિડ્સ હવે એલર્ટ પર છે અને દેશ છોડવાની યોજના બનાવી રહ્યા છે. આર્યન ખાનની જામીન માટે જઈ રહેલો ખાન પરિવાર હવે ખૂબ જ બેચેન થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે, શાહરૂખ ખાન ઇચ્છે છે કે તે એકવાર પુત્ર આર્યનને મળી શકે. જ્યારે બીજી બાજુ આર્યનની મમ્મી ગૌરી ખાન પણ ખૂબ જ નારાજ છે. શાહરુખ(Sahrukh) અને ગૌરી બંને ઇચ્છે છે કે, તેમના પુત્રને જલદી જામીન મળે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top