'PM મોદીના ઘરની નીચે પણ મસ્જિદ છે, શું તે પણ ખોદવામાં આવશે?' - અસદુદ્દીન ઓવૈસી
ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સુરતમાં જાહેરસભા કરી છે. આ જનસભામાં ઓવૈસીએ મોદી સરકાર પર જોરદાર નિશાનો સાંધ્યો. તેમણે કહ્યું કે માત્ર હું જ મોદીને હરાવી શકું છું, રાહુલ ગાંધી નહીં.
ઓવૈસીએ ભાજપ અને આરએસએસ(RSS) પર પણ નિશાનો સાંધ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ અને સંઘ દરેક મસ્જિદની નીચે મંદિર જુએ છે કારણ કે તેઓ ભારતના મુસ્લિમોને મુઘલો સાથે જોડે છે. દાવો કરવા માટે હું પણ કહી શકું છું કે મોદી જ્યાં રહે છે તેની નીચે એક મસ્જિદ છે, શું તે પણ ખોદવામાં આવશે?
તેમણે કહ્યું કે ભારતના મુસ્લિમો ભાડુઆત નથી. શેરહોલ્ડર છે. લોકો અમને મુઘલો સાથે જોડે છે, પણ અમારો મુઘલો સાથે કોઈ સંબંધ નથી. શું જ્ઞાનવાપી મસ્જિદ તમારી નથી, બાબરી મસ્જિદ ગઈ તો શું તમે જ્ઞાનવાપીને પણ જવા દેશો? ઓવૈસીએ બેઠકમાં હાજર લોકોને મસ્જિદોની જાળવણી માટે શપથ લેવા પણ કહ્યું.
કોંગ્રેસ પર નિશાન સાધતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી છોડી દો જેનું અસ્તિત્વ ભારતમાં ખતમ થવા જઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી ભાજપ અને મોદી સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. ભાજપને કેવી રીતે રોકવું તે જો કોઈ જાણતું હોય તો તેનું નામ અસદુદ્દીન ઓવૈસી છે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધીમાં મોદીને રોકવાની કે મોદીને જવાબ આપવાની હિંમત નથી. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. અહીં AIMIMએ ચૂંટણી લડી ન હતી. જ્યારે મને ખબર પડી કે ભાજપ કેવી રીતે જીતી રહ્યું છે. જો તમે કોંગ્રેસને મત આપો તો તેઓ જીતશે અને ભાજપમાં જશે.
ઓવૈસીએ કહ્યું કે લોકોના ઘરો અને ધંધા-રોજગાર પર બુલડોઝર ચલાવામાં આવે છે, આમાંથી છુટકારો મેળવવા માટે મુસ્લિમોએ એક રાજકીય બળ બનવું પડશે. ભાજપના અત્યાચારો સામે અવાજ ઉઠાવવા માટે તમારે તમારા પ્રતિનિધિઓની પસંદગી કરવી પડશે.
ઓવૈસીએ કહ્યું કે ગુજરાતમાં મુસ્લિમ અને પટેલ બંને 11 ટકા છે પરંતુ વિધાનસભામાં 44 ધારાસભ્યો પટેલો છે જ્યારે માત્ર 3 મુસ્લિમ ધારાસભ્યો છે. ગુજરાતના મુસ્લિમોએ આ અંગે વિચારવું પડશે. જો કોઈ મુસ્લિમ પોતાની ઓળખને જીવંત રાખવા માંગતો હોય તો તેણે રાજકારણમાં ભાગ લેવો પડશે. મુસ્લિમોએ યાદ રાખવું પડશે કે તેઓ સરકાર બદલી શકતા નથી પરંતુ તેઓ તેમના પ્રતિનિધિઓને સફળ બનાવીને તેમના પ્રશ્નોનો હલ કરી શકે છે.
તેમણે કહ્યું કે 540 સભ્યોની સંસદમાં હું એકલો તમારી કડીઓથી લડી શકું છું. જો મુસ્લિમ ધારાસભ્યો પણ વિધાનસભામાં જશે તો આપણે પોતાના અધિકાર માટે મજબૂત લડત આપી શકીશું. ભારતના મુસલમાનોને બંધારણ મુજબ તેમના યોગ્ય અધિકારો મળવા જોઈએ. મુસ્લિમો માત્ર અલ્લાહથી ડરે છે, તેઓ કોઈ સરકાર કે માનવીથી ડરતા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp