યુવકે પોલીસને ફોન કરી કહ્યું : 'મેં મારી પત્નીને મારી નાખી છે! હું ક્યાં આવું'?

યુવકે પોલીસને ફોન કરી કહ્યું : 'મેં મારી પત્નીને મારી નાખી છે! હું ક્યાં આવું'?

10/16/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

યુવકે પોલીસને ફોન કરી કહ્યું :  'મેં મારી પત્નીને મારી નાખી છે! હું ક્યાં આવું'?

આજે નાની અમથી ભૂલના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી દે છે. હત્યા કરવાનું આજે સાવ સામાન્ય બની ગયું છે એવું લાગી રહ્યું છે. ક્યાંક પૈસા માટે તો ક્યાંક ઘરેલું કારણો માટે કેટલાય લોકોની હત્યા થઇ રહી છે. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં પણ આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીની જેમ રાજકોટમાં પણ દિવસે દિવસે ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. રાજકોટમાં એક પતિએ જ પત્નીની હત્યા કરી છે જેનું ચોંકાવનારું કારણ જાણવા મળ્યું છે.

મોટાભાગે હત્યારાઓ ગુનો કર્યા પછી પોતાની જાતને સજાથી બચાવવા ભાગવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ રાજકોટમાં પતિ દ્વારા કરાયેલ પતિની હત્યા બાદ પતિએ સમેથીજ પોલીસને ફોન કર્યો અને જણાવ્યું કે, 'મેં મારી પત્નીને મારી નાખી છે.' મારે ક્યાં હાજર થવાનું છે?


મળેલી માહિતી મુજબ, રાજકોટમાં(Rajkot) પોલીસ સ્ટેશનમાં શુક્રવારના રોજ એક અજણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. ફોન અડધી રાતે કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ ફોન ઉચકતા સામેથી એક યુવક બોલ્યો કે, મારી પત્ની ચરિત્રહીન છે અને તેનું બીજા કોઈ છોકરા સાથે લફડું ચાલુ છે આથી તેના લફડાથી કંટાળીને મેં તેની હત્યા કરી નાખી છે. આથી હું કયા પોલીસ સ્ટેશનમાં હાજર થાવ.' યુવકની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેના પગલે પોલીસ સ્ટેશનમાં ભાગદોડ મચી ગઈ હતી. યુવકે પોતાના ઘરનું સરનામું પણ પોલીસને આપી દીધું હતું. આથી પોલીસ તેને પકડવા માટે તેના ઘરે પહોંચી ગઈ હતી. યુવકે પોલીસને ઘંટેશ્વર એસ.આર.પી કેમ્પ પાસે લઇ જવા કહ્યું હતું. યુનિવર્સીટી પોલીસના PSI સાથે પોલીસ અધિકારીનો તમામ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. યુવકે એસ.આર.પી કેમ્પ પાસે પોલીસને લઇ જઈ પત્ની નેહાની લાશ બતાવી હતી. નેહાની ઉંમર ૨૨ વર્ષની હતી.


પોલીસે હત્યાના ગુનામાં યુવક સામે ગુનો નોંધ્યો છે અને તેને તમામ ઘટના અંગેની પુછપરછ કરી હતી ત્યારે પતિએ જવાબમાં કહ્યું હતું કે પત્ની ચરિત્રહીન હોવાથી તે કંટાળી ગયો હતો. હત્યા કરનાર યુવકનું નામ શૈલેશ ભુપતભાઈ પંચાસરા છે અને તેની  ઉંમર ૨૫ વર્ષની છે. શૈલેષ ડ્રાઈવિંગ કરવાનું કામ કરે છે. પાંચ વર્ષ પહેલા તેને નેહા સાથે લવ મેરેજ કર્યા હતા. નેહા અને શૈલેષની બે વર્ષની એક દીકરી છે. લગ્નના થોડા સમય પછી નેહાએ બીજા યુવક સાથે લફડું કર્યું હતું અને આ જ કારણોસર દરરોજ શૈલેશ અને નેહા વચ્ચે ઝગડાઓ થતા હતા. આખરે ઝગડાએ મોટું સ્વરૂપ લેતા પતિએ ગુસ્સામાં પત્નીના પેટમાં ચપ્પુના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.


પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top