સુરતના જાહેર શૌચાલયોમાં જતાં પહેલા વિચારજો, અંદર થાય છે ગંદુકામ
સુરતમાં જાહેર શૌચાલય (Public toilet) હવે બદકામ કરવાના સેન્ટર બની રહ્યા છે. સુરતમાં જાહેર શૌચાલયો પણ હવે સલામત નથી રહ્યાં. જાહેર શૌચાલયનો ઉપયોગ સૃષ્ટિ વિરુદ્ધનું (Against creation) કૃત્ય કરવામાં થઈ રહ્યો છે. જાહેર શૌચાલયમાં જતાં તરુણો પણ હવે સલામત નથી રહ્યાં. સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
સુરતમાં 15 વર્ષના તરૂણ સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યુ છે. સુરતના સલાબતપુરામાં 20 વર્ષના યુવકે 15 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ છે. 15 વર્ષીય કિશોર સલાબતપુરામાં આવેલ સુલભ શૌચાલયમાં ન્હાવા ગયો હતો, તે દરમિયાન સાહેલ ઉર્ફે સન્ની દંતાણી નામનો યુવક ત્યાં આવી ચઢ્યો હતો. તે જબરદસ્તીથી કિશોરના કેબિનમાં ઘૂસ્યો હતો, અને તેણે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. ત્યારે કિશોરે આ વિશે પોતાના પરિવારજનોને વાત કરતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે યુવકની ધરપકડ કરી છે.
સુરતના રાંદેરમાં એક કિશોરે 7 વર્ષના માસૂમ સાથે ટોયલેટમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. શ્રમજીવી પરિવારમાંથી આવતા માસુમે આ વિશે પોતાના પરિવારને જાણ કરી હતી. એટલું જ નહીં, પણ માસુમ દીકરાને પોતાની વાસનાનો ભોગ બનાવનાર કિશોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp