ભારત જોડો યાત્રા પર લાગ્યો બ્રેક! દિલ્હી પહોંચ્યા બાદ રાહુલ ગાંધી આટલા દિવસ લેશે રજા, જાણો કારણ
રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો મંગળવારે છેલ્લો દિવસ છે. 100 દિવસ પૂર્ણ કર્યા બાદ ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે. જે બાદ નવ દિવસનો વિરામ રહેશે. ત્યારબાદ 3 જાન્યુઆરી 2023ના રોજ ફરી ભારત જોડો યાત્રા શરૂ થશે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. જયરામ રમેશે ટ્વીટ કર્યું કે ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરની સાંજે દિલ્હી પહોંચશે. ત્યાર બાદ નવ દિવસનો વિરામ રહેશે. જેથી કન્ટેનરનું સમારકામ કરી શકાય અને કઠોર શિયાળા માટે કન્ટેનર તૈયાર કરી શકાય.
આ વિરામમાં, ઘણા પ્રવાસીઓ લગભગ ચાર મહિના પછી તેમના પરિવારોને મળી શકશે અને તેમની સાથે સમય પસાર કરી શકશે. રાહુલ ગાંધીની યાત્રા 3 જાન્યુઆરી 2023થી ફરી શરૂ થશે. દરમિયાન, પાર્ટીનું હરિયાણા એકમ યાત્રા માટે તૈયારી કરી રહ્યું છે કારણ કે યાત્રાનો પ્રથમ તબક્કો રાજ્યમાં બુધવારથી શુક્રવાર સુધી ચાલશે. ફિરોઝપુર ઝિરકાથી ફરીદાબાદ સુધીના આ તબક્કામાં પાર્ટીના સેંકડો કાર્યકરો અને સામાન્ય લોકો ભાગ લેશે. આ પછી, 6 જાન્યુઆરી, 2023 ના રોજ, પાણીપત બોર્ડર પર સનૌલી ખુર્દથી યાત્રા શરૂ થશે. આ પ્રસંગે બીજા દિવસે પાણીપતમાં એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
#BharatJodoYatra 24 दिसंबर की शाम को दिल्ली पहुंचेगी।उसके बाद 9 दिनों का ब्रेक होगा, ताकि कंटेनरों को मरम्मत करके उत्तर में पड़ने वाली कठोर सर्दी के लिए तैयार किया जा सके।साथ ही कई भारत यात्री लगभग 4 महीने बाद अपने परिवार के साथ समय बिता सकें।3 जनवरी 2023 को यात्रा फिर शुरू होगी। — Jairam Ramesh (@Jairam_Ramesh) December 19, 2022
#BharatJodoYatra 24 दिसंबर की शाम को दिल्ली पहुंचेगी।उसके बाद 9 दिनों का ब्रेक होगा, ताकि कंटेनरों को मरम्मत करके उत्तर में पड़ने वाली कठोर सर्दी के लिए तैयार किया जा सके।साथ ही कई भारत यात्री लगभग 4 महीने बाद अपने परिवार के साथ समय बिता सकें।3 जनवरी 2023 को यात्रा फिर शुरू होगी।
રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાનો મંગળવારે છેલ્લો દિવસ છે. મંગળવારે સવારે લગભગ 6.30 કલાકે ભારત જોડો યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા અલવર શહેરમાંથી પસાર થશે. આ પછી, સવારે 10 વાગ્યે રામગઢ વિસ્તારમાં લોહિયાના તિબારામાં લંચ બ્રેક થશે. બપોરે 3:30 કલાકે બગડ ચારરસ્તા પહોંચશે. યાત્રાનો રાત્રી વિશ્રામ રામગઢના બીજવા ગામે રાખવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના રાજસ્થાન પ્રવાસનો આ 16મો અને છેલ્લો દિવસ છે. યાત્રીઓ આજે રાહુલ સાથે 23 કિમી ચાલશે.
ભારત જોડો યાત્રા 4 ડિસેમ્બરે ઝાલાવાડથી રાજસ્થાનમાં પ્રવેશી હતી. રાજસ્થાનમાં 16 દિવસમાં 526 કિમીની મુસાફરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસ શાસિત રાજ્ય હોવાને કારણે રાહુલની મુલાકાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેમની સાથે રાહુલે વાતચીત કરી હતી. રાજ્ય છોડવાના એક દિવસ પહેલા રાહુલ ગાંધીએ મંત્રીઓ અને ધારાસભ્યોને ટાસ્ક સોંપી દીધા છે. રાહુલે કહ્યું કે મંત્રીઓ અને ધારાસભ્યોએ દર મહિને 15 કિમી ચાલવું જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp