ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : જાણો કાર્યકારી સમિતિના નામાંકિત સભ્યો

ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : જાણો કાર્યકારી સમિતિના નામાંકિત સભ્યો

10/07/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપની નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : જાણો કાર્યકારી સમિતિના નામાંકિત સભ્યો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે 80 સદસ્યોના નામોની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કારોબારી (National Executive Committee)માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે. સાથે જ ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને કારોબારીમાં સ્થાન અપાયુ છે. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લિસ્ટ જાહેર કરીને આ નામ આપ્યા છે. 

ભાજપના મહાસચિવ અરુણ સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રકાશન મુજબ, કાર્યકારી સમિતિમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિધાનસભા પક્ષના નેતા, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પ્રવક્તા સહિત 50 વિશેષ આમંત્રિતો અને 179 કાયમી આમંત્રિતો (પદભાર) પણ હશે. રાષ્ટ્રીય મોરચા પ્રમુખ, રાજ્ય પ્રભારી, સહ પ્રભારી, પ્રદેશ પ્રમુખ, રાજ્ય મહામંત્રી સંગઠન અને આયોજકનો સમાવેશ થાય છે. ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરે છે અને સંગઠનની કામગીરી માટે માળખું નક્કી કરે છે.


કાર્યકારી સમિતિના નામાંકિત સભ્યો

કાર્યકારી સમિતિના નામાંકિત સભ્યો

કાર્યકારી સમિતિના નામાંકિત સભ્યોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. પૂર્વ મંત્રી હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદને પણ કાર્યકારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.


રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માટે 13 સદસ્યોનું સિલેક્શન

તમામ રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સંગઠન મહામંત્રીઓને કારોબારીમાં સામેલ કરાયા છે. આ સાથે જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માટે 13 સદસ્યોનું સિલેક્શન કરાયુ છે. જેમાં છત્તીસગઢના ડો.રમન સિંહ, રાજસ્થાનથી વસુંધરા રાજે સિંધિયા, બિહારથી રાધા મોહન સિંહ, ચંદીગઢથી સૌદાન સિંહ, ઓરિસ્સાથી બૈજયંત જય પાંડા, ઝારખંડથી રઘુવર રાસ, પશ્ચિમ બંગાળથી દિલીપ ઘોષ, ઉત્તર પ્રદેશથી બેબી રાની મૌર્યા, ગુજરાતથી ડો. ભારતીબેન શિયાળ, તેલંગણાથી ડીકે અરુણા, નાગાલેન્ડથી એમ ચુબા આઓ અને કેરળથી અબ્દુલ્લા કુટ્ટીને સામેલ કરાયા છે. 


ગુજરાતના આ નેતાઓ છે કારોબારીમાં

ગુજરાતના આ નેતાઓ છે કારોબારીમાં

ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ કરાયો છે. તો સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ અને વિશેષ આમંત્રિતોમાં રમીલાબેન બારાનો સમાવેશ કરાયો છે. 


7 નવેમ્બરના રોજ દિલ્હીમાં મળશે ભાજપની રાષ્ટ્રીય કારોબારી

દિલ્હીમાં 2 વર્ષ બાદ ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળવાની છે. 7 નવેમ્બરના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારી મળશે. Covid-19 અને લોકડાઉનના કારણે 2 વર્ષથી રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી ન હતી. છેલ્લે જાન્યુઆરી 2019 માં રાષ્ટ્રીય કારોબારી મળી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જેપી નડડાની આ પહેલી કારોબારી મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top