ગુજરાત કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સજ્જ : મુખ્યમંત્રી રૂપાણી

ગુજરાત કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સજ્જ : મુખ્યમંત્રી રૂપાણી

07/26/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સજ્જ : મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગર: કોરોનાની બીજી લહેરે રાજ્ય સહિત દેશમાં કહેર વર્તાવ્યો હતો. લોકોને ઓક્સિજન અને દવાઓ તેમજ હોસ્પિટલના બેડ માટે બહુ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો આવી સ્થિતિ ફરી નિર્માણ ન પામે તે માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ૨૦ હજાર લિટરની ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજન ટેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અવસરે જણાવ્યું હતુ કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓક્સિજનનું મહત્વ અને જરૂરીયાત સમજાવી દીધા છે. ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી લહેર કાબુમાં લેવામાં સફળતા મેળવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અને સેવા સંસ્થાઓના સહયોગથી આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલારૂપે ઓક્સિજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ.


ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની પ્રેરણા અને સહયોગથી પોરબંદરમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લિટર ક્ષમતાની રૂપિયા ૭૫ લાખના ખર્ચે ઓક્સિજન ટેન્કનું નિમાર્ણ થયું તે અંગે મુખ્યમંત્રીએ ભાઇશ્રીનો આભાર વ્યક્ત કરી આ પ્રકલ્પથી પોરબંદર જિલ્લામાં ઓકસીજન સપ્લાય મેળવવામાં રાહત થશે તેમ જણાવ્યું હતુ.

ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેરના મુકાબલા માટે સજ્જ છે તેમ પણ સીએમ રૂપાણીએ જણાવ્યું હતુ. વિજયભાઈએ કહ્યું કે કોરોના હજી ગયો નથી. આપણે સૌએ કોરોના પ્રોટોકોલ તેમજ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ,રસીકરણ વગેરેનું પાલન કરીને કોરોનાને હરાવવાનો છે.

આ પ્રસંગે પ્રસિધ્ધ કથાકાર શ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્રારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓક્સિજનની જરૂરીયાત અનુભવાઇ. સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની મુશકેલી ન પડે તે માટે આપણે સૌ આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ, ભાઇશ્રીએ પોરબંદર ખાતે દાતાઓના સહયોગથી ઉભી કરવામાં આવેલી ટેન્કની માહિતી આપી સાંદિપનીના સૌ સાધકો અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top