દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 164 કરોડ રૂપિયાની રિકવરી નોટિસ, 10 દિવસમાં ચૂકવવાં આદેશ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 164 કરોડ રૂપિયાની રિકવરી નોટિસ, 10 દિવસમાં ચૂકવવાં આદેશ

01/12/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 164 કરોડ રૂપિયાની રિકવરી નોટિસ, 10 દિવસમાં ચૂકવવાં આદેશ

સરકારી જાહેરાતોની આડમાં રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવા બદલ આમ આદમી પાર્ટી (AAP)ને રૂ. 163.62 કરોડની વસૂલાત નોટિસ જારી કરવામાં આવી છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મુખ્ય સચિવને સરકારી જાહેરાતોની આડમાં પ્રકાશિત રાજકીય જાહેરાતો માટે AAP પાસેથી રૂ. 97 કરોડ વસૂલવાનો નિર્દેશ આપ્યો હતો, જે પછી આ કાર્યવાહી જોવા મળી છે.


સૂત્રોએ જણાવ્યું હતું કે માહિતી અને પ્રચાર નિર્દેશાલય (DIP) દ્વારા જારી કરવામાં આવેલી વસૂલાત નોટિસમાં રકમ પર વ્યાજનો સમાવેશ થાય છે અને દિલ્હીમાં સત્તારૂઢ AAP માટે 10 દિવસની અંદર સમગ્ર રકમ ચૂકવવી ફરજિયાત છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, જો AAP સંયોજક આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના અગાઉના આદેશ મુજબ પાર્ટીની મિલકતો જપ્ત કરવા સહિતની તમામ કાનૂની કાર્યવાહી સમયબદ્ધ રીતે કરવામાં આવશે.


આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહને યુપી સુલ્તાનપુર કોર્ટે 3 મહિનાની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે AAP સાંસદ પર 1500 રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે, 21 વર્ષ જૂના કેસમાં સંજય સિંહને આ સજા સંભળાવવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ જ્યારે પોતાના સમર્થકો સાથે કોર્ટ પરિસરમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેમનો કેસ ઉપલી કોર્ટમાં રજૂ કરશે. જ્યારે તેમણે પાવર કટથી પીડિત જનતા માટે આંદોલન કર્યું ત્યારે 18 જૂન 2001ના કેસમાં તેમને 3 મહિનાની જેલ અને રૂ.1500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જનહિતની લડાઈ ચાલુ રહેશે, જે પણ સજા થશે તે સ્વીકાર્ય છે. આ નિર્ણય સામે સક્ષમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે. સુલતાનપુરની MP MLA કોર્ટના ન્યાયાધીશ યોગેશ યાદવે AAP સાંસદને સજા સંભળાવી છે. જોકે, તેને 3 વર્ષથી ઓછી સજાની જોગવાઈ હેઠળ જામીન મળ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top