શું તમે કમરના દુખાવાની સમસ્યાને દૂર કરવા માંગો છો ? તો આ રીતે મેળવી શકો છે રાહત
વ્યસ્ત જીવનશૈલી અને સતત લેપટોપ, કોમ્પ્યુટરની સામે કામ કરવાને કારણે મોટાભાગના લોકોને કમરના દુખાવાની (Back pain) સમસ્યા થવા લાગી છે. આ સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં યુવાનો પણ પરેશાન છે. આવી સ્થિતિમાં દર્દના કારણે કોઈને કોઈ કામ કરવાનું મન થતું નથી. જ્યારે ક્યારેક પીઠનો દુખાવો એટલો વધી જાય છે કે ઉઠવું પણ મુશ્કેલ બની જાય છે.
જો તમે પણ કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો અને કામ કરવામાં તકલીફ પડતી હોય તો પેઈનકિલરને બદલે કોઈ ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ ઘરેલું ઉપાય છે તજ. તજનું સેવન કરીને તમે તમારી પીઠના દુખાવાની સમસ્યાને કુદરતી રીતે ઘટાડી શકો છો. તેનું સેવન કરવાથી તમને જલ્દી આરામ મળશે. તો ચાલો જાણીએ.
તજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા અનેક તત્વો મળી આવે છે. આ સિવાય તેમાં સિનામાલ્ડીહાઈડ અને સિનામિક એસિડ જેવા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે શરીરના ક્ષતિગ્રસ્ત કોષોને રિપેર કરવામાં મદદરૂપ થાય છે અને આર્થરાઈટિસ, સાંધા અને કમરના દુખાવામાં પણ રાહત આપે છે.
જો મધની વાત કરીએ તો આયુર્વેદમાં લાંબા સમયથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તેની સાથે તેમાં પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
કમરના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે બે ગ્રામ તજના પાવડરમાં એક ચમચી મધ મિક્સ કરો. પછી તેને ખાઓ. દિવસમાં ઓછામાં ઓછું 2 વખત આવું કરો. આમ કરવાથી તમને જલ્દી જ અસર જોવા મળશે.
જો તમે ઈચ્છો તો તજ વડે હેલ્ધી ડ્રિંક પણ બનાવી શકો છો. આ માટે એક તપેલીમાં એક કપ પાણી નાખો. ત્યાર બાદ તેમાં થોડો તજ પાવડર નાખીને ધીમી આંચ પર ઉકાળો. હવે તેને એક કપમાં ગાળીને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો. સવારે અને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરો.
અસ્વીકરણ: આ માહિતી આયુર્વેદિક પ્રિસ્ક્રિપ્શનના આધારે લખવામાં આવી છે. sidhikhabar તેની સફળતા કે તેની સત્યતાની પુષ્ટિ કરતું નથી. તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp