મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પ્રથમ કેબિનેટ બેઠક, જાણો કયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પ્રથમ કેબિનેટ બેઠક, જાણો કયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

09/22/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પ્રથમ કેબિનેટ બેઠક, જાણો કયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે નવા વરાયેલા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક (Cabinet meeting) મળી હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંત્રી પ્રવક્તા તરીકે નિયુક્ત કરાયેલા મંત્રીઓ જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સમક્ષ આ નિર્ણયો અંગે માહિતી આપી હતી.


સહાયની રકમો વધારાઈ

રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓનું નુકશાન અંગે કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અનુસાર ભારે વરસાદથી ઘરવખરીને નુકશાન કે તણાઇ જવાના કિસ્સામાં SDRFની રૂ. ૩૮૦૦ની સહાયમાં આજે મંત્રીમંડળે વધારાના રૂ. ૩ર૦૦ની સહાય આપીને પરિવાર દીઠ રૂ. ૭૦૦૦ ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, તીવ્ર વરસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તેવા કિસ્સામાં રાજ્ય સરકારે રૂ. પ૯૦૦નો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, નાશ પામેલા ઝૂંપડાઓ માટે SDRFના રૂ. ૪૧૦૦માં રાજ્ય સરકારના વધારાના રૂ. પ૯૦૦ મળી હવે ઝૂંપડા દીઠ રૂ. ૧૦ હજારની સહાય અપાશે.

તદુપરાંત, રાજ્ય સરકારે મકાન સહાય ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કર્યો છે. ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે SDRF અન્વયે મળવાપાત્ર રૂ. પર૦૦ ઉપરાંત રાજ્ય સરકારના વધારાના રૂ. ૯૮૦૦ મળી હવે આવા મકાનો માટે મકાન દીઠ રૂ. ૧પ હજાર રાજ્ય સરકાર આપશે.

મંત્રીઓએ જણાવ્યું કે, જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકારે રૂ. ૬૮૦૦નો વધારો કર્યો છે. તદઅનુસાર, SDRFના ધોરણો મુજબ રૂ. ૩ર૦૦ મળવાપાત્ર સહાય અને વધારાની રૂ. ૬૮૦૦ એમ કુલ ૧૦ હજારની સહાય ચુકવવામાં આવશે.


દૂધાળા પશુઓ માટેની સહાયના ધોરણોમાં પણ સુધારો કરાયો

ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર ૩ પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી જે હવે પાંચ પશુ સુધી આવી મૃત્યુ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ SDRFના ધોરણો મુજબ રૂ. ૩૦ હજારની ‘પશુ મૃત્યુ સહાય’ પશુ દીઠ મળતી હતી. તેમાં વધારાના રૂ. ર૦ હજાર રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય કર્યો છે. આમ, હવે દૂધાળા મોટા પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુઓના મૃત્યુ સુધી પશુ દીઠ રૂ. પ૦ હજારની સહાય પશુપાલકોને અપાશે.

નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દીઠ રૂ. બે હજારનો વધારો રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટે કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ હવે આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુદીઠ પ હજાર પ્રમાણે આપવામાં આવશે.

મંત્રીઓએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, ભારે વરસાદને કારણે પશુઓ બાંધવાની ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં SDRFના રૂ. ર૧૦૦ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી રૂ. ર૯૦૦ વધારાના મળી કુલ રૂ. પ૦૦૦ની સહાય શેડ-ગમાણ દીઠ આપવાનો મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ વરસાદી આફતમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તોની મદદ સહાય માટે હંમેશા તત્પર છે અને આ સુધારેલા ધોરણો મુજબ સહાય ચુકવણી માટેના જરૂરી આદેશો પણ કરવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top