પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને બસે ટક્કર મારતા ચાર વિદ્યાર્થીના મોત; બસ ડ્રાયવર વાહન લઈને ફરાર
નેશનલ ડેસ્ક: મંગળવારના રોજ હિસુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના કેશોપુર ગામ પાસે એક બસ ડ્રાયવરે બાઈક પર સવાર ચાર વિદ્યાર્થીઓને કચડી નાખ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ 11માં ધોરણની પરીક્ષા આપવા એક જ બાઈક પર ટીએસ કોલેજ આવ્યા હતા પરંતુ પરત ફરતી વખતે કેશોપુર ગામ પાસે બસે તેમને કચડી નાખ્યા હતા.
ઘટનાના સંબંધમાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે ત્રણ બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને હિસુઆની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું પણ પાવાપુરી રેફરલ દરમિયાન મોત થયું હતું. ટક્કર માર્યા બાદ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.
આ ચાર યુવકોની ઓળખ પુરુષોત્તમ કુમાર, શિવમ કુમાર, ગોલુ કુમાર અને રોહિત કુમાર તરીકે થઈ છે, જેઓ ઝારખંડના સતગામા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિરચોય ગામના રહેવાસી છે. તેના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ દિવસોમાં શહેરમાં વધી રહેલી વાહનોની તેજ ગતિએ લોકો સતત પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અજાણ્યા વાહનોના ચાલકો ટક્કર મારીને નાસી જાય છે અને આવા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બનાવને લઈને લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો.
અકસ્માતગ્રસ્ત બાઇકનો નંબર JH-12C-5768 છે. અકસ્માત બાદ બાઇક ફંગોળાઇ ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવાદા મોકલી આપ્યો છે. એસએચઓ રાજીવ કુમાર પટેલે જણાવ્યું કે કાગળની મળતી માહિતી અનુસાર બસ ડ્રાયવર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકના સંબંધીઓ હિસુઆ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમની ઓળખ કરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp