ઓવૈસીના આગમનથી આ બેઠક પર બગડશે સમીકરણ; 1,72,000 મુસ્લિમ વોટ ધરાવતી આ બેઠક જીતવા લગાવશે એડીચોટીનું જોર!
ગુજરાત ડેસ્ક : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે અને વધુમાં વધુ મત મેળવવા માટે તમામ પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતે મેદાને ચઢ્યા છે. ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી રસપ્રદ બનવા જઈ રહી છે કારણકે આ ચૂંટણીમાં ઘણી બધી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે, ત્યારે ઓવૈસીની AIMIM એ પણ ઘણી બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.
ઓવૈસી આ વર્ષના મે મહિનાથી સતત ગુજરાતની મુલાકાતે છે. 2021માં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં પાર્ટીએ 26 બેઠકો જીતી હતી.પાર્ટીનું સમગ્ર ધ્યાન મુસ્લિમ અને દલિત મતદારો પર છે. વધુમાં વધુ મતો મેળવવા માટે ઓવૈસી વિવિધ જિલ્લાઓમાં જઈને લોકો સાથે સામૂહિક સંવાદ પણ કરી રહ્યા છે. ઓવૈસીની પાર્ટીએ પહેલા નક્કી કર્યું હતું કે પાર્ટી 40 થી 45 સીટો પર ચૂંટણી લડી શકે છે, પરંતુ હવે પાર્ટી માત્ર 13 સીટો પર જ ચૂંટણી લડી રહી છે, જેમાં પહેલા તબક્કામાં 6 સીટો માટે મતદાન થવાનું છે.
ઓવૈસીની પાર્ટીના ઘણા ઉમેદવારો પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. પહેલા માત્ર કોંગ્રેસને મુસ્લિમ મતોની દાવેદાર માનવામાં આવતી હતી પરંતુ આ ચૂંટણીમાં લઘુમતીના મતોને આકર્ષવા કોંગ્રેસ પાર્ટી નાના પક્ષોથી સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. કોંગ્રેસે આ વખતે AAP અને AIMIM સામે સખત સ્પર્ધા આપવી પડશે. AIMIM પોતાનું સંપૂર્ણ ધ્યાન કોંગ્રેસના ગઢ વિસ્તારોમાં કેન્દ્રિત કરી રહ્યું છે અને લોકોને આકર્ષવાનો પ્રયાસ પણ કરી રહી છે.
અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠક એક માત્ર એવી બેઠક છે જ્યાં આજ સુધી ભાજપ પોતાનો ઝંડો લહેરાવી શક્યું નથી. આ બેઠક પર 1975થી કોંગ્રેસનું શાસન છે. આ મુસ્લિમ બહુમતીવાળી સીટ છે. અહીં લગભગ 2 લાખ 62 હજાર મતદારો છે. અહીં 1,72,000 મુસ્લિમ મતદારો છે. દાણીલીમીડા એ દલિતો માટે અનામત બેઠક છે. AISISએ અહીંથી દલિત મહિલા કૌશિકા પરમારને નોમિનેટ કરી છે. AIMIMના આગમનથી AAP અને કોંગ્રેસની મત ગણતરી બગડવાની શક્યતા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp