કોરોના મૃતકોના વારસદારોને સહાય આપવા માટે પોર્ટલ લોન્ચ કરાયું, જાણો કઈ રીતે અરજી કરી શકાશે
ગાંધીનગર: મહામારી કોરોનામાં મૃત્યુ પામેલાના વારસદારોને સહાય આપવાની યોજના મુજબ રાજ્યમાં પણ આ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે માટે આવા લોકોને સહાય મળી રહે તે માટે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું.
આજે ગાધીનગર ખાતેથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીંગ કરતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા થશે.
તેમણે ઉમેર્યુ કે ,ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ. 50,000/- ની સહાય (ex-gratia assistance) આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરેબેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.28/11/2021 ના ઠરાવ પ્રમાણે Covid-19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે RT PCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર, ફોર્મ 4 અથવા 4-A અપલોડ કરવાના રહેશે.
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલ અરજી અન્વયે દિન-૩૦માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે એ પ્રક્રિયા પણ ચાલુ રહેશે.a
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp