તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે આજે જ કરો આ કામ, આખા વર્ષ સુધી આવો મોકો નહીં મળે!
આજનો દિવસ ઘણી બાબતો માટે ખૂબ ખાસ છે. આજે શનિ જયંતિ છે, વટ સાવિત્રી વ્રત ઉપરાંત સોમવતી અમાવસ્યા પણ છે. અને આ વર્ષ 2022ની છેલ્લી સોમવતી અમાવસ્યા છે.
સોમવતી અમાવસ્યા પિતૃ દોષ નિવારણ ઉપયઃ
જેઠ માસની અમાવસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શનિ જયંતિ અને વટ સાવિત્રી વ્રત જેવા મહત્વના તહેવારો આ દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષમાં જેઠ માસની અમાવસ્યા સોમવારે આવતી હોવાથી વધુ વિશેષ બની છે. આ વર્ષ 2022ની છેલ્લી સોમવતી અમાવસ્યા છે. આજ પછી, આ અમાવસ્યા વર્ષમાં એક પણ વાર સોમવારે નહિ આવશે. માટે આ અમાવસ્યાનું મહત્વ ખૂબ વધારે છે.
પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પિતૃ દોષના કારણે પરિવાર, કરિયરમાં અનેક સમસ્યાઓ આવે છે. આર્થિક પ્રગતિ નથી, ઘરમાં વિખવાદ અને અશાંતિ છે, લગ્ન કરવા યોગ્ય યુવક-યુવતીઓ લગ્ન કરી શકતા નથી. તેથી પિતૃ દોષનું વહેલામાં વહેલી તકે નિવારણ કરવું જોઈએ. આ સોમવતી અમાવસ્યા પર 30 વર્ષ પછી શનિ ગ્રહ પોતાની રાશિ કુંભ રાશિમાં હોવાથી આ ઉપાયોનું મહત્વ ઘણું વધી જાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp