આવકવેરા વિભાગની ટીમ સતત બીજા દિવસે સોનુ સૂદના ઘરે પહોંચી
આવકવેરા વિભાગના અધિકારીઓ આજે ફરી મુંબઈમાં બોલીવુડ અભિનેતા સોનુ સૂદના ઘરે પહોંચી ગયા છે. આ પહેલા બુધવારે અભિનેતા સંબંધિત 6 મિલકતોનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં તેની ચેરિટી આધારિત ઓફિસનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IT ટીમ લખનઉમાં એક રિયલ એસ્ટેટ કંપની સાથે સોનુ સૂદના સોદાની તપાસ કરી રહી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સોનુ સૂદની ચાલી રહેલી આઈટી વિભાગની તપાસ અંગે NDTVના અહેવાલ મુજબ, સોનુ સૂદ અને લખનૌની Best real estate firm વચ્ચે થયેલી ડીલ IT ટીમના તપાસ હેઠળ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સોદામાં કરચોરીના આરોપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનને 'સર્વે' કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય સોનુ સૂદના ઘર, NGO, Office વગેરે સ્થળો પર આવકવેરાની શોધને રાજકીય રંગ પણ આપવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં દિલ્હી સરકારે સોનુ સૂદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંબંધિત પ્રોગ્રામનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. આ દરમિયાન તે AAPમાં સામેલ થશે તેવી અટકળો પણ ચાલી રહી હતી જોકે સોનુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આ અંગે કોઈ વાત થઈ નથી. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે, AAP પાર્ટીની સાથે જોડાવવાના કારણે સૂદને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોનુ સૂદના સમર્થનમાં ટ્વીટ કરી કે, 'સત્યના માર્ગમાં લાખો મુશ્કેલીઓ આવે છે, પરંતુ જીત હંમેશાં સત્યની જ થાય છે.' સોનુ સૂદજીની સાથે ભારતના તે લાખો પરિવારોની પ્રાર્થના છે, જેમને મુશ્કેલ સમયમાં સોનુજીનો સાથ મળ્યો હતો.
જણાવી દઈએ કે covid 19 રોગચાળા દરમિયાન, સોનુ સૂદ ગરીબોની મદદ કરવા વિશે જબરદસ્ત ચર્ચામાં હતા. જેના માટે તેમને સામાન્ય લોકો તેમજ ઘણી સેલિબ્રિટીઝ તરફથી પ્રશંસા મળી હતી. તેનું એક NGO પણ ચાલી રહ્યું છે, જેનું નામ 'સૂદ ચેરિટી ફાઉન્ડેશન' છે. આ NGO Healthcare, Education, નોકરી અને Technical advancement પર કામ કરે છે. તે સમયે પણ એવી અટકળો લગાવવામાં આવી હતી કે સોનુ સૂદ રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, પરંતુ અભિનેતાએ તે સમયે આગળ આવીને સ્પષ્ટ કર્યું હતું કે તેને રાજકારણમાં આવવામાં રસ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp