જગન્નાથ પુરી રથયાત્રા 2022 વિશે કેટલીક રોચક વાતો અને ઇતિહાસ સાથે જોડાયેલી દંતકથાઓ
ઓરિસ્સાના પુરી શહેરમાં સ્થિત જગન્નાથનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર હિંદુઓના તીર્થસ્થાનોમાંથી એક છે. એવું કહેવાય છે કે, દરેક હિંદુએ મરતા પહેલા ચાર ધામના દર્શન કરવા જોઈએ, તેનાથી મોક્ષ મળે છે. જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણનું મંદિર છે, જે ખૂબ વિશાળ અને ઘણા વર્ષો જૂનું છે. આ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવે છે. આ સ્થળનું મુખ્ય આકર્ષણ જગન્નાથ પુરીની રથયાત્રા છે. આ રથયાત્રા કોઈ ઉત્સવથી ઓછી નથી, પુરી સિવાય દેશ અને વિદેશના ઘણા ભાગોમાં આ રથયાત્રા કાઢવામાં આવે છે.
જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢ (જુલાઈ) મહિનાના શુક્ત પક્ષના બીજા દિવસે કાઢવામાં આવે છે. આ વર્ષે તે 1લી જુલાઈ 2022ના રોજ રવિવારના દિવસે કાઢવામાં આવશે. રથયાત્રાનો તહેવાર 10 દિવસનો હોય છે, જે શુક્લ પક્ષની અગિયારસના દિવસે સમાપ્ત થાય છે. આ દરમિયાન લાખો લોકો પુરી શહેર પહોંચે છે, અને આ મહાન પ્રસંગનો ભાગ બને છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં ગુંડીચા મંદિરમાં લઈ જવામાં આવે છે. ત્રણેય રથને ભવ્ય રીતે શણગારવામાં આવે છે, જેની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ થાય છે.
આ રથયાત્રા સાથે જોડાયેલી ઘણી કથાઓ છે જેના કારણે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો હું તમારી સાથે કેટલીક વાર્તાઓ શેર કરું..
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp