ઇન્ટરવ્યુમાં કાશ્મીરાએ જવાબ આપ્યો : કોણ છે સુનીતા? હું તેને ઓળખતી નથી!

ઇન્ટરવ્યુમાં કાશ્મીરાએ જવાબ આપ્યો : કોણ છે સુનીતા? હું તેને ઓળખતી નથી!

09/13/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

ઇન્ટરવ્યુમાં કાશ્મીરાએ જવાબ આપ્યો : કોણ છે સુનીતા? હું તેને ઓળખતી નથી!

ગોવિંદા અને તેનો ભાણેજ કોમેડી સ્ટાર ક્રિષ્ના વચ્ચે  છેલ્લા હમણાં ઘણા સમયથી પારિવારિક સમસ્યા ચાલી રહી છે. જે પૂરું થવાનું નામ જ નથી લેતી. હાલમાંજ ગોવિંદા તેમની પત્ની સાથે કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. તે સમયે ક્રિષ્ના અભિષેક શુટીંગ દરમિયાન ગાયબ થયેલા જોવા મળ્યા હતા. બીજી બાજુ સુનીતાએ ક્રિષ્ના વિશે મીડિયામાં એક ઇન્ટરવ્યું આપ્યું હતું જેના જવાબમાં ક્રિષ્નાની પત્ની કાશ્મીરા શાહે ન્યુઝમાં વાતચીત કરી હતી.


કપિલ શર્મા શોમાં મેહમાન તરીકે આવેલી સુનીતાએ ગુસ્સામાં આવું કહ્યું :

કપિલ શર્મા શોમાં ગોવિંદા(Govinda) અને પત્ની સુનીતા(Sunita) જયારે મેહમાન તરીકે આવ્યા હતા, ત્યારે ક્રિષ્ના ત્યાંથી ગાયબ હતા. સુનીતાએ ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, હવે તે જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી તેમના વચ્ચે ચાલી રહેલી આ સમસ્યા ઉલજવાની નથી. બીજી બાજુ ક્રિષ્નાએ પોતના તરફથી કહ્યું કે, 'તે બધું ગણપતિ બાપ્પા ઉપર છોડે છે. એ જે કરશે એ સારું કરશે'. ક્રિષ્નાની(Krishna) પત્ની કાશ્મીરાએ સુનીતાના જવાબમાં કહ્યું કે,  ''હું સાચું કહું તો, મને આ વિવાદમાં ૨ પૈસાનો પણ રસ નથી. ગોવિંદાજી અને તેમની પત્ની છેલ્લા ૫ વર્ષથી મારા સાથે સંપર્કમાં નથી. મારે હવે તેમના વિષે કોઈ વાતચીત નથી કરવી. ઘણા સમયથી મેં તેમના વિષે કોઈ વાત કરી નથી બાકી મારા પાસે તેમને આપવા માટે જડબાતોડ જવાબો છે."


સુનીતાને કાશ્મીરનો જવાબ!

સુનીતાને કાશ્મીરનો જવાબ!

કાશ્મીરા(Kashmera) કહે છે કે, સોશિયલ મીડિયા મારફતે તેમને જવાબ મળી જ ગયા છે. તેઓ ખરાબ રીતે ટ્રોલ થઈ ચૂક્યા છે. ગોવિંદા અને સુનીતા એવું કહે છે કે, ક્રિષ્ના પાસે કોઈ ટેલેન્ટ નથી પરંતુ કાશ્મીરા આવું કહે છે કે,  જેના પાસે ખુદ ટેલેન્ટ ન હોય અને જેમને ટેલેન્ટ વિષે કોઈ સમજ ન હોય જેને દુનિયામાં કંઈ કર્યું ન હોય અને જે પોતાને બીજા કરતા હોશિયાર સમજતા હોય તેવાજ લોકો આવી વાતો કરતા હોય છે. ઉપરાંત તેણે જણાવ્યુંકે, એક વાર એક્ટર બન્યા પછી તમારી લાઈફ પ્રાઈવેટ નથી રહેતી. તે પબ્લિક થઇ જાય છે. તમારે બધી જ મુશ્કેલીઓ માટે તૈયાર થવું પડે છે. બીજા લોકો તમારા ઉપર હસશે કે મજાક ઉડાવશે તો શું તમે એવું કહેશો કે, તેમના લીધેજ મારું ભવિષ્ય ઉજ્જવળ થયું છે. કાશ્મીરા કહે છે કે, જ્યારથી અમારા વચ્ચે વિવાદ(Fight) ચાલી રહ્યા છે, ત્યારથી તેઓ મારા છોકરાઓને જોવા પણ આવ્યા નથી. પરિવાર એનેજ કેહવાય જે ખરાબ સમયમાં કામ આવે.


કાશ્મીરાએ પૂછ્યું કોણ છે આ સુનીતા?

કાશ્મીરાએ કહ્યું, જયારે ગોવિંદા અને સુનીતા કપિલ શર્મા શોમાં આવ્યા હતા, ત્યારે ક્રિષ્ના હાજર ન હતો, તો બની શકે કે, ત્યારે તેની જરૂર ન હોય. પરંતુ કોણ તેમને સમજાવે. તો બીજી બાજુ  કાશ્મીરાએ કહ્યું કે, જો તમારે મને પૂછવું હોય તો પ્રિયંકાચોપડા વિષે અથવા કેટરીના વિષે પૂછો. આ સુનીતા કોણ છે? અમને હું ઓળખતી નથી. હું જાતે મારી મેહેનતથી આગળ આવી છુ. મારી ઓળખ કોઈની પત્ત્નીના રૂપમાં નથી આપવામાં આવતી તો પછી હું શુકામ આવા લોકો વિષે વાતચીત કરું!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top