આજે લાભપાંચમ : જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ અને મહત્વ
કારતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભપાંચમ તરીકે ઓળખવામાં આવે છે. તેને સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી વિશેષ ફળદાયી છે. લાભપાંચમના દિવસે ભગવાન શિવની પૂરા દિલથી પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે અને જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
એવું માનવામાં આવે છે કે, દિવાળી ગુજરાતી નવા વર્ષની શરૂઆત કરે છે. આ સાથે લાભપાંચમનો દિવસ તમારા વ્યવસાયમાં પ્રગતિ માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વેપારમાં મનવાંછિત લાભ મળે છે અને શિવ-પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિની સાથે જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને સૌભાગ્યની સાથે પરિવારમાં સુખ-શાંતિ રહે છે.
લાભપાંચમનો દિવસ હિંદુઓમાં એક શુભ દિવસ છે જે લાભ અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે. આ તહેવાર ગુજરાત રાજ્યમાં લોકપ્રિય છે અને દિવાળીની ઉજવણીનો છેલ્લો દિવસ છે. તે પરંપરાગત ગુજરાતી કેલેન્ડરના કાર્તિક મહિનાના શુક્લપક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે.
લાભપાંચમ મંગળવાર, નવેમ્બર 9,2021
લાભપાંચમ પૂજા મુહૂર્ત 06:39 AM થી 10:16 AM
પાંચમ તારીખ નવેમ્બર 08, 2021 – 01:16 PMથી શરૂ થાય છે.
પાંચમ તિથિ 09 નવેમ્બર, 2021 - 10:35ના રોજ સમાપ્ત થાય છે.
કાર્તિક સૂદ પાંચમને લાભ પંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી, પાંડવ પંચમી અથવા શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવા વર્ષ માટે વેપાર ધંધાનું મુરત કરવામાં આવશે. તેથી આ દિવસ શુભ અને ધનલાભ સાથે જોડાયેલો છે.
આ દિવસે નવું સાહસ શરૂ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગુજરાતમાં લાભપાંચમ એ નવા વર્ષનો પ્રથમ કામકાજનો દિવસ છે, તેથી વેપારીઓ આ દિવસે નવી ખાતાવહી અથવા 'ખાતુ' ખોલે છે. પૃષ્ઠની મધ્યમાં તેઓ સાથિયા' બનાવે છે, ડાબી બાજુ ''શુભ' અને જમણી બાજુ 'લાભ' લખે છે.
(નોંધ- અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અત્રે રજુ કરવામાં આવેલ છે.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp