શું તમે પણ ઉનાળામાં વાળ ખરવાથી પરેશાન છો? જાણો કઈ સામાન્ય ભૂલોથી થઇ શકે છે આ સમસ્યા
હેલ્થ ડેસ્ક : ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને વાળની સમસ્યા થવા લાગે છે. ઘણી વખત એવું બને છે કે વાળને તંદુરસ્ત રાખવા માટે આપણે અનેક મોંઘા-મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેમ છતાં વાળ ખરવાનું પ્રમાણ વધી જાય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ઉનાળાની ઋતુમાં વાળને વધારે સંભાળની જરૂર હોય છે. આ સિઝનમાં મોટાભાગના લોકો આવી ભૂલો કરે છે, જેના કારણે વાળ ખરવા અને અન્ય સમસ્યાઓ શરૂ થઈ જાય છે.
આવો જાણીએ કઈ છે તે સામાન્ય ભૂલો-
જેમ તડકામાં બહાર જતા પહેલા ત્વચા પર સનસ્ક્રીનની જરૂર હોય છે તેમ વાળ માટે સનસ્ક્રીન પણ મળે છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે વાળમાં સનસ્ક્રીન લગાવો. વાળને તડકાથી બચાવવા માટે બહાર જતા પહેલા વાળમાં દુપટ્ટો, સન હેટ લો, જેથી વાળમાં પરસેવો ન થાય.
ઉનાળાની ઋતુમાં વાળમાં પરસેવો આવવો સામાન્ય વાત છે, પરંતુ આ વાળ ધોતા પહેલા તેમાં તેલ લગાવવાથી તમારા વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. તમારે પરસેવાવાળા વાળમાં ક્યારેય હેર ઓઈલ ન લગાવવું જોઈએ. તેનાથી માથાની ચામડીમાં ખંજવાળ જેવી સમસ્યા પણ થઈ શકે છે.
ઉનાળાની ઋતુમાં વાળ ખૂબ જ ખરબચડા થઈ જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો શેમ્પૂ પછી કંડીશનરનો વધુ પડતો ઉપયોગ કરે છે. વધુ પડતા કંડીશનરનો ઉપયોગ કરવાથી પણ વાળ ખરવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં ઉનાળાની ઋતુમાં વધુ પડતા કંડીશનરનો ઉપયોગ કરવો યોગ્ય નથી.
ઉનાળામાં માથાની ચામડી તૈલી રહે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે તમારા વાળમાં તેલ ન લગાવવું જોઈએ. જો તમે લાંબા સમય સુધી વાળમાં તેલની માલિશ ન કરો તો તમને વાળની સમસ્યા શરૂ થઈ શકે છે. વાળમાં ચમક જાળવી રાખવા માટે વાળમાં તેલ લગાવો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp