મુકેશ અંબાણી નિવૃત્ત! રિલાયન્સ જિયોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી આપ્યું રાજીનામું, જાણો કોણ તેમની જગ્યા લેશે
બિઝનેસ ડેસ્ક : મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ આ માહિતી સ્ટોક એક્સચેન્જને આપી હતી.
હવે તેમની જગ્યાએ પુત્ર આકાશ અંબાણી કંપનીના ચેરમેન બન્યા છે. નિષ્ણાતો કહે છે કે આ લગામ હાથમાં લેવાની તૈયારી છે. તેની શરૂઆત જિયોથી થઈ છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને મોકલેલી માહિતીમાં જણાવ્યું કે 27 જૂન 2022ના રોજ બોર્ડ મીટિંગમાં આકાશને ચેરમેન બનાવવાનો મામલો રાખવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું કે 27 જૂને બજાર બંધ થયા બાદ જ મુકેશ અંબાણીએ રાજીનામું માન્ય રાખ્યું હતું.
Jioના ચેરમેન તરીકે આકાશ અંબાણીની નિમણૂક સાથે, રિલાયન્સમાં નવી પેઢીને બિઝનેસ ટ્રાન્સફર શરૂ થઈ ગયો છે. આગામી દિવસોમાં ઘણા વધુ નિર્ણયો લેવામાં આવી શકે છે. કોઈપણ રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકો - ઈશા, આકાશ અને અનંત રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp