રાકેશ અસ્થાનાની નિયુક્તિ વિરુદ્ધ દિલ્હી વિધાનસભામાં ઠરાવ પસાર

રાકેશ અસ્થાનાની નિયુક્તિ વિરુદ્ધ દિલ્હી વિધાનસભામાં ઠરાવ પસાર

07/29/2021 National

SidhiKhabar

SidhiKhabar

રાકેશ અસ્થાનાની નિયુક્તિ વિરુદ્ધ દિલ્હી વિધાનસભામાં ઠરાવ પસાર

ગુજરાત કેડરના આઇપીએસ (IPS) અને સુરતના પોલીસ કમિશનર (Police commissioner) રહી ચૂકેલા રાકેશ આસ્થાના (Rakesh asthana) કમિશનર બનતા જ વિવાદ ઊભો થયોછે. દિલ્હી વિધાનસભા સત્રની શરૂઆત પહેલા જ કોંગ્રેસના કાર્યકરોએ વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દિલ્હી વિધાનસભા સત્ર શરૂ થયું ત્યારે પણ ખુદ ભાજપના ધારાસભ્યોએ ગૃહની અંદર પણ ખળભળાટ મચાવી દીધો હતો. જેથી આ વિરોધને ગ્રાહ્ય રાખી દિલ્હી સરકારે પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂક સામે ગૃહમાં ઠરાવ પસાર કર્યો હતો. અને આ ઠરાવમાં દિલ્હી વિધાનસભાએ ગૃહ મંત્રાલયમાંથી રાકેશ અસ્થાનાની નિમણૂકનો નિર્ણય પાછો ખેંચવા ફરમાન કર્યું છે. ઠરાવ પસાર થાય તે પહેલાં આપના કેટલાક ધારાસભ્યોએ પણ રાકેશ અસ્થાનાની નિમણૂક અંગે વિરોધની વાત કરી હતી. મટિલાના ધારાસભ્ય ગુલાબસિંહે ગૃહમાં કહ્યું કે, 'રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં ઉતાવળ શું હતી? સંપૂર્ણ કારકીર્દિ- સીબીઆઈમાં ભ્રષ્ટાચાર, ઇશરત જહાં એન્કાઉન્ટર કેસનો શંકાસ્પદ, મોદી-શાહના દરેક ખરાબ કામોને દિશા આપવામાં તેની મુખ્ય ભૂમિકા છે.

તાજેતરમાં, જ્યારે સીબીઆઈના વડાની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે અસ્થાનાના નામ પર સહમતી થઈ શકી ન હતી કારણ કે તેમની નિવૃત્તિમાં છ મહિના બાકી છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા કહે છે, સુપ્રીમ કોર્ટનો આદેશ કહે છે કે આવા અધિકારીની નિવૃત્તિમાં છ મહિના બાકી હોય તો જ તે ડીજીપી બની શકે છે.  સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રશાંત ભૂષણે અસ્થાનાની નિમણૂક અંગેની પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, રાકેશ અસ્થાના ‘ટેન્ટેડ’ અધિકારી છે. તેનું નામ સંડેસરા જૂથ સાથે સંકળાયેલું છે, જે 1000 કરોડ રૂપિયા લઈને ભાગી ગયું છે. સીબીઆઇએ જ આ મામલાની તપાસ કરી હતી. હવે દિલ્હી પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂક ગેરકાયદેસર છે. દિલ્હી પોલીસ કમિશનર અને ડીજીપી બંને પોસ્ટ સમાન છે.

આપ સરકારના બીજા કાર્યકાળમાં દિલ્હી પોલીસ દ્વારા દોઢ ડઝનથી વધુ ધારાસભ્યો પર વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આપના ધારાસભ્યો સંજીવ ઝા, અખિલેશ ત્રિપાઠી અને સોમ દત્તે અસ્થાનાની નિમણૂકને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ગણાવ્યું છે. અસ્થાનાની નિમણૂકથી બંને પક્ષકારો માટે ચિંતા ઉભી થઈ છે. અહીં પવન ખેરાએ સવાલ ઉઠાવ્યો છે કે શું યુપીએસસી પાસેથી અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશનર પદ પર નિયુક્ત કરવાની મંજૂરી લેવામાં આવી છે. સરકારની પરિભાષા ‘જાહેર હિત વિશેષ કેસ’ આ શું છે, કૃપા કરીને સમજાવો. અસ્થાના સામે છ ફોજદારી કેસ નોંધાયા છે. કોંગ્રેસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS છે. એજીએમયુટી કેડરમાં સરકારને એક પણ લાયક અધિકારી મળ્યો નથી, જેને દિલ્હી પોલીસ કમિશનર બનાવી શકાય?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top