ડિઝાઈનર સબ્યસાચીએ મંગળસૂત્ર પરની વિવાદિત જાહેરાત પાછી ખેંચી લેવી પડી, 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું
દિવાળીના તહેવાર પહેલા ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ મંગળસૂત્ર પરની પોતાની વિવાદાસ્પદ જાહેરાત પાછી ખેંચી લીધી છે. તેમને મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે જો 24 કલાકની અંદર વાંધાજનક જાહેરાત દૂર કરવામાં નહીં આવે તો સબ્યસાચી વિરુદ્ધ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સબ્યસાચીની કંપનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત પાછી ખેંચી લેવાની જાણ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘મંગલસૂત્ર અભિયાનનો ઉદ્દેશ્ય સમાવેશ અને સશક્તિકરણ વિશે વાત કરવાનો હતો. આ ઝુંબેશનો હેતુ ઉજવણી તરીકે હતો અને અમને ખૂબ જ દુઃખ છે કે તેનાથી સમાજના એક વર્ગને દુઃખ થયું છે. તેથી સબ્યસાચીએ આ ઝુંબેશ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે.’
નોંધનીય છે કે તાજેતરમાં સબ્યસાચીએ એક નવું જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું છે. જે બાદ તેની જાહેરાતની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. આ જ્વેલરીની જાહેરાતોમાં જે મોડલ્સ જોવા મળી હતી તેઓએ ઈન્ટીમેટ/સેક્સ સીન્સ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. તસવીરોમાં મોડલ્સે અન્ડર ગાર્મેન્ટ્સ સાથે મંગળસૂત્ર પહેર્યું હતું. ફોટો એવો હતો કે જો તેના પર સબ્યસાચી ફાઈન જ્વેલરી ન લખાઈ હોત તો ભાગ્યે જ કોઈને ખબર હોત કે જે જાહેરાતો આપવામાં આવી છે તે મંગલસૂત્ર કે જ્વેલરીની છે.
આ જાહેરાત જોયા બાદ નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, મેં ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીની મંગલસૂત્રની જાહેરાત જોઈ. ખૂબ જ વાંધાજનક છે. જ્વેલરીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મંગળસૂત્ર છે. અમે માનીએ છીએ કે મંગળસૂત્રનો પીળો ભાગ માતા પાર્વતીનું અને કાળો ભાગ ભગવાન શિવનું પ્રતીક છે, તેની કૃપાથી સ્ત્રી અને તેના પતિનું રક્ષણ થાય છે. મા પાર્વતીની કૃપાથી વિવાહિત જીવન સુખી બને છે.’
તેમણે કહ્યું, ‘મેં અગાઉ પણ ચેતવણી આપી છે અને આ ડિઝાઇનર, સબ્યસાચી મુખર્જીને હું વ્યક્તિગત રીતે ચેતવણી આપી રહ્યો છું અને 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપી રહ્યો છું. જો તે 24 કલાકની અંદર આ વાંધાજનક અને અશ્લીલ જાહેરાત હટાવશે નહીં તો તેમની સામે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp