લગ્નના 9 વર્ષ બાદ પત્ની સાથે અલગ થયો આ ભારતીય ક્રિકેટર, પત્નીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી
મુંબઈ: ભારતીય ક્રિકેટર શિખર ધવનના વિવાહિત જીવનનો 9 વર્ષ બાદ અંત આવ્યો છે. ગઈકાલે ક્રિકેટરે સોશિયલ મીડિયા ઉપર પત્ની આયશા મુખર્જી સાથે અલગ થવાની ઘોષણા કરી હતી. આયશા મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ ઉપર લાંબી પોસ્ટ લખીને બીજીવાર પોતાના લગ્ન તૂટવા અંગે જાણકારી આપી, તો થોડા સમય બાદ શિખર ધવને પણ એક પોસ્ટ કરી હતી.
જોકે, શિખર ધવનની પોસ્ટમાં છૂટાછેડાનો કોઈ ઉલ્લેખ નથી. તેમાં તેઓ આઈપીએલની જર્સી પહેરેલ જોવા મળે છે. સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘કોઈ પણ મંજિલ મેળવવા માટે જીવ, સમજ અને દિલ લગાવી દેવું પડે છે. પોતાના કામ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ તો જ બરકત આવે છે અને ખુશી મળે છે. પોતાના સપનાઓને હકીકત બનાવવા માટે તનતોડ મહેનત કરતા રહો.’
View this post on Instagram A post shared by Aesha Mukerji (@apwithaesha)
A post shared by Aesha Mukerji (@apwithaesha)
આયશાએ પોસ્ટમાં કહ્યું, જયારે પહેલીવાર છૂટાછેડા થયા ત્યારે હું બહુ ડરી ગઈ હતી અને મને લાગ્યું કે હું અસફળ છું અને કંઇક ખોટું કરી રહી છું. મને લાગ્યું કે હું માતા-પિતાને નિરાશ કરી રહી છું, બાળકોને નિરાશ કરી રહી છું. મને લાગતું હતું કે મેં ભગવાનનું અપમાન કરી દીધું છે.’ તેણે આગળ કહ્યું, ‘તમે કલ્પના કરો કે મારે બીજી વખત છૂટાછેડા લેવા પડી રહ્યા છે. આ ભયાનક છે. એક વખત છૂટાછેડા લેવાના કારણે એવું લાગ્યું કે બીજી વખત ઘણું બધું દાંવ પર લાગ્યું છે. ઘણું સાબિત કરવાનું હતું, એટલે લગ્ન તૂટ્યા તો મારા માટે તે ઘણું ભયાનક હતું.’
આયશા અને શિખર ધવને વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. તેમને સંતાનોમાં એક પુત્ર- જોરાવર છે. જેની ઉંમર સાત વર્ષની છે. આયશાના પહેલા લગ્નથી પણ બે સંતાનો છે. રિપોર્ટ અનુસાર, મેલબર્નમાં રહેતી આયશા બ્રિટીશ-બંગાળી છે. તે હરભજનસિંહની ફેસબુક ફ્રેન્ડ હતી. શિખર ધવને તેને જોતા જ પ્રેમ થઇ ગયો અને તેણે આયશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને વચ્ચે પરિચય થયો અને વર્ષ 2009 માં સગાઇ અને 2012 માં લગ્ન કરી લીધા હતા. આયશા ધવન કરતા 10 વર્ષ મોટી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp