કુદરતનો ક્રૂર ખેલ! લોકપ્રિય સિરીયલના ત્રણ મુખ્ય પાત્રો વાસ્તવિક જીવનમાં એક પછી એક મોતને ભેટ્યા!

કુદરતનો ક્રૂર ખેલ! લોકપ્રિય સિરીયલના ત્રણ મુખ્ય પાત્રો વાસ્તવિક જીવનમાં એક પછી એક મોતને ભેટ્યા!

09/02/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

કુદરતનો ક્રૂર ખેલ! લોકપ્રિય સિરીયલના ત્રણ મુખ્ય પાત્રો વાસ્તવિક જીવનમાં એક પછી એક મોતને ભેટ્યા!

અમુક વાર કુદરત ગજબનાં ક્રૂર ખેલ ખેલે છે. અમુક પરિવાર એવી રીતે તબાહ થઇ જાય, જાણે કાળની નજર લાગી ગઈ હોય! સામાન્ય રીતે ફિલ્મો કે સિરિયલ્સમાં આવી વાર્તાઓ જોવા મળતી હોય છે. પણ તાજેતરમાં સિધ્ધાર્થ શુક્લ નામના આશાસ્પદ કલાકારને પગલે એક જાણીતી સિરીયલની સ્ટાર કાસ્ટને જાણે કોઈની નજર લાગી ગઈ હોય એવું પ્રતીત થઇ રહ્યું છે.

બિગ બોસ ૧૩ની ટ્રોફી હાંસલ કરનાર મશહૂર કલાકાર સિદ્ધાર્થ શુકલાનું તાજેતરમાં જ મૃત્યુ થયું છે. સિદ્ધાર્થને 'બાલિકાવધૂ' સીરીયલને કારણે જબરી પ્રસિદ્ધિ મળેલી. સિદ્ધાર્થે તેના કરિયરની શરુઆત 'બાલિકા વધુથી' કરી હતી. જેમાં તેનું પાત્ર આઈ.એ.એસ ઓફીસર શિવરાજ શેખરનું હતું. જેનાથી તે ખૂબ લોકપ્રિય બન્યા હતા. શિવરાજનું પાત્ર એક ખુબ જ પ્રમાણિક અધિકારીનું હતું અને આ સીરીયલમાં તેમના દ્વારા એક પરિવાર માટે સર્વગુણ સમ્પન પુત્ર કેવો હોવો જોઈએ એ શીખવા મળે છે.


થયું એવું કે બાલિકાવધૂ સિરિયલની લોકપ્રિય થયેલી સ્ટારકાસ્ટમાં એક પછી એક ત્રણ મુખ્ય કલાકારોએ જીવ ગુમાવ્યો છે! આ પહેલા બાલિકા વધુની હજી એક ફેમસ કલકાર જે સીરીયલમાં સિદ્ધાર્થ શુકલાની પત્નીનું પાત્ર ભજવતી પ્રત્યુષા બેનર્જીનું પણ નિધન થયું હતું. પ્રત્યુષા ટીવી સિરીયલમાં આનંદીનું પાત્ર ભજવતી હતી. આ બે જ કલાકારો નહિ, પરંતુ સાથે સાથે સુરેખા સીકરી - જે સીરીયલમાં 'દાદીસા'નું પાત્ર ભજવતી હતી, એનું પણ થોડા સમય પહેલા જ દુખદ નિધન થયેલું! સુરેખા સીકરી છેલ્લા ઘણા લાંબા સમયથી બીમાર હતા અને થોડા સમય પહેલા જ એમણે પણ અંતિમ શ્વાસ લીધા.


પ્રત્યુષા બેનર્જીએ (આનંદીએ) કરેલી આત્મહત્યા!

પ્રત્યુષા બેનર્જીએ (આનંદીએ) કરેલી આત્મહત્યા!

પ્રત્યુષા એ એક ભારતીય અભિનેત્રી હતી. તેને ઘણા બધા રીયાલીટી શોમાં કામ કર્યું છે. તેમને પોતાના કરિયરની શરુઆત ૨૦૧૦ થી કરી હતી. આમ તો તેને ઘણા બધા ટીવી  સીરીયલમાં કામ કર્યું છે. પરંતુ તેને સૌથી વધુ ફેમસ બાલિકા વધુ સીરીયલે બનાવી હતી. જેનાથી તેમને ઘરમાં પણ આનંદીના નામે બોલાવતા હતા. પ્રત્યુષા બેનર્જીને એના પરિવારમાં કોઈક સમસ્યા હતી એવું કહેવાય છે. આ સમસ્યાને કારણે એ લાંબો સમય તણાવમાં રહી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે તણાવ અસહ્ય થઇ પડ્યો ત્યારે પ્રત્યુષાએ ૧ એપ્રિલ, ૨૦૧૬નાં રોજ આત્મહત્યા કરી લીધી!

 

ચાહકોમાં શોકની લાગણી

સિદ્ધાર્થના મૃત્યુથી સૌથી મોટો ઝાટકો તેના પરિવારને લાગ્યો છે. સાથે સાથે તેના ચાહકોમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે. શરુઆતમાં સિદ્ધાર્થની તબિયત થોડી બગડી હતી, પરંતુ  તેમને ઘરેલું દવાથી કામ ચલાવી લીધું હતું. જે બાદ તબિયત વધારે બગડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડોકટરના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. હજી તેમની ઉમર ૪૦ વર્ષ જ હતી. એટલી નાની ઉમરમાં  તેમને દુનિયાને અલવિદા કહી દીધું એ ખુબ જ દર્દનાક છે.

પ્રત્યુષા બેનર્જી અને સુરેખા સીકરીનાં નિધન બાદ બાલિકાવધૂ સિરીયલના ચાહકો શોકમાં હતા જ, ત્યાં સિધાર્થ શુક્લના મૃત્યુના સમાચારે લોકોને હચમચાવી નાખ્યા છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top