પૂજા ખંડના આ કારણે ઘરમાં રહે છે નકારાત્મક ઉર્જા; સાંજે મંદિરમાં આ કામ કરવાનું ન ભૂલશો

પૂજા ખંડના આ કારણે ઘરમાં રહે છે નકારાત્મક ઉર્જા; સાંજે મંદિરમાં આ કામ કરવાનું ન ભૂલશો

05/13/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

પૂજા ખંડના આ કારણે ઘરમાં રહે છે નકારાત્મક ઉર્જા;  સાંજે મંદિરમાં આ કામ કરવાનું ન ભૂલશો

વાસ્તુશાસ્ત્ર : આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે મંદિરમાં રાખવામાં આવેલા ફૂલો વિશે વાત કરીશું. ભગવાનને ફૂલો ખૂબ પ્રિય છે. ઘર હોય કે ઓફિસ, ભગવાનને ફૂલ અવશ્ય ચઢાવવામાં આવે છે. સવારે ભોગની સાથે દરેક લોકો ભગવાનના મંદિરમાં તાજા ફૂલ પણ ચઢાવે છે, પરંતુ અહીં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો મંદિરમાં ફૂલ ચઢાવે છે, પરંતુ તેને ઉતારવાનું ભૂલી જાય છે.


સૂકા અથવા બગડેલા ફૂલો રાખવા સારા નથી

સૂકા અથવા બગડેલા ફૂલો રાખવા સારા નથી

વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે મંદિરમાં ચઢાવવામાં આવેલા ફૂલોને સાંજ પછી મંદિરમાંથી હટાવી દેવા જોઈએ, કારણ કે સાંજ સુધીમાં તે સુકાઈ જાય છે જે ખરાબ લાગે છે, સાથે જ સાંજ સુધીમાં તેની સુગંધ પણ દૂર થઈ જાય છે. વાસ્તુના દૃષ્ટિકોણથી, સૂકા અથવા બગડેલા ફૂલો રાખવા સારા નથી. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ રહે છે. સુકાઈ ગયેલા ફૂલોને જોઈને ગુસ્સો આવે છે. તેથી સાંજના સમયે મંદિરમાંથી ફૂલો દૂર કરી દેવા જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top