Gujarat : શપથવિધિ બાદ હાર્દિક પટેલે પાટીદારોને લઈ આપ્યુ મોટુ નિવેદન; જાણો તેમણે શું કહ્યું?
ગુજરાત ડેસ્ક : આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા તમામ 182 ધારાસભ્યોની શપથવિધિ થઈ હતી. પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. ત્યારે વિધાનસભામાં જતા પહેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મોટુ નિવેદન આપ્યુ હતું. હાર્દિક પટેલે દાવો કર્યો કે, પાટીદારો પરના કેસ ઝડપથી પરત ખેંચાશે.
હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાટીદાર પર થયેલા કેસ અંગે કઇ નિર્ણય લેવાશે. ઋષિકેશ પટેલ સાથે આ અંગે વાતચીત કરાઇ છે. કાયદાની પક્રિયામાં રહી આગળ કાર્યવાહી કરવામાં આવશે. મારી પર હાલમાં ૨૮ કેસ છે. અમે જ સરકાર અને અમે જ વિપક્ષની ભુમિકા નિભાવીશું. નેતાની છબી હતી કે તે ધોતી કુર્તામાં હોય જોકે હવે નવી જનરેશનના નવા યુવાનો નેતૃત્વ કરી રહ્યા છે એટલે જીન્સ શર્ટનો નવો પહેરવેશ જોવા મળે.
વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની સમીક્ષા બેઠક 1 વાગે કમલમ ખાતે યોજાશે. તમામ જિલ્લા, શહેર પ્રમુખ સાથે તેઓ બેઠક કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. દરેક જિલ્લાના પરિણામો અંગે ચર્ચા થશે. હારેલી બેઠકો પર સ્થિતિ અંગે ચર્ચા થશે. હારના કારણો અને વિપક્ષની સ્થિતિ અંગે સમીક્ષા થશે. કેટલાક જિલ્લાઓમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ ચૂંટણીમાં થઇ હોવાનો એક સુર કર્યો. આ પ્રકારની ગતિવિધિઓ રિપોર્ટ મંગાશે.
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદમાં હવે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસસભામાં તમામ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા. એટલે કે, આજે ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોના ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp