અનુજ કાપડિયા સાથે લગ્ન કરવા બાબતે અનુપમા શું લેશે નિર્ણય?! સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ

અનુજ કાપડિયા સાથે લગ્ન કરવા બાબતે અનુપમા શું લેશે નિર્ણય?! સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ

11/10/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

અનુજ કાપડિયા સાથે લગ્ન કરવા બાબતે અનુપમા શું લેશે નિર્ણય?! સિરિયલનો નવો પ્રોમો થયો રિલીઝ

મહિલાઓની દ્વારા સૌથી વધારે જોવાથી ટીવી સિરિયલ અનુપમામાં(Anupama) છેલ્લા કેટલાક દિવસોથી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. આ સિરિયલનો છેલ્લો એપિસોડ ઘણો ધમાકેદાર રહ્યો છે. પરંતુ હવે સિરિયલમાં મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી અનુજ અને અનુપમા બંને એક સાથે જોવા મળી રહ્યા છે પરંતુ તેમના વચ્ચે શું રિલેશન છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું ન હતું, પરંતુ હવે લાંબા સમયની રાહ જોયા બાદ અનુજ કાપડિયાએ બધાની સામે એ વાતનો ખુલાસો કર્યો છે કે, તે અનુપમાને પ્રેમ કરે છે. અનુજે આ વાતનો ખુલાસો વનરાજ, બા અને કાવ્યાની સામે કરતા કહ્યું કે, તે અનુપમાને છેલ્લા 26 વર્ષથી ચાહે છે. ગત એપિસોડ બધા જ દર્શકો માટે ચોંકાવનારો રહ્યો છે. લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે હવે આગળ સ્ય થશે? અનુપમાના મેકર્સ બોક્સમાં હજુ વધુ વિસ્ફોટક ટ્વિસ્ટ છે. મેકર્સે ટીવી પર આ નંબર વન શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે.


અનુપમા નિર્ણય લેતા ડરશે :

અનુપમા નિર્ણય લેતા ડરશે :

અનુપમા સિરિયલના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, અનુપમા પોતાના અને અનુજના સંબંધોને લઈને દુર્વિધામાં પડશે. તો બીજી બાજુ સમર તેને સમજાવશે કે અનુજ કાપડિયા તેને ખરેખર પ્રેમ કરે છે. તે અનુપમાને કહેશે કે પ્રેમનો સાચો અર્થ શું છે? સમર પ્રયત્ન કરશે કે અનુપમા અને અનુજ કાયમ માટે એક થઈ જાય. બીજી બાજુ, બા અનુપમા અને અનુજના સંબધોને તોડવા માટેના તમામ પ્રયત્નો કરશે.


અનુજ અનુપમાથી જશે દુર :

અનુજ અનુપમાથી જશે દુર :

અનુજ કાપડિયાને અહેસાસ થશે કે તેણે અનુપમાના પરિવારની સામે અનુપમા વિશે બોલીને મોટી ભૂલ કરી છે. પોતાની ભૂલ સુધારવા માટે તે અનુપમાથી દૂર જ રહેશે. અનુપમા ઈચ્છવા છતાં અનુજ સાથે વાત કરી શકશે નહિ કારણ કે હવે પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ છે. અનુજની કંપનીમાં જોડાતા પહેલા અનુપમાએ સ્પષ્ટ કર્યું હતું કે તે તેની સાથે મિત્ર તરીકે નહીં પરંતુ કર્મચારી તરીકે કામ કરશે. આવી સ્થિતિમાં અનુજ સાથે લગ્નની વાત સાંભળીને તે પરેશાન થઈ જશે.

બાપુજી આપશે અનુપમાને સાથ :

સમર, નંદિની, પાખી અને કિંજલની સાથે સાથે બાપુજી પણ ઈચ્છે છે કે અનુપમા અને અનુજ બંને લગ્ન કરે. અનુપમાએ ક્યારેય બાપુજીની વાત ટાળી નથી અને આ વખતે પણ તે આવું જ કરવાનો પ્રયત્ન કરશે. અનુપમા અને અનુજને એક કરવા માટેના પ્રયત્નોમાં આ લોકો બા, વનરાજ અને કાવ્યાની નજરોમાં વધારે ખરાબ બની જશે. આગામી દિવસોમાં અનુપમા સિરિયલમાં એવા ઘણા ફની ટ્વિસ્ટ આવવાના છે જેને જોવા માટે દર્શકો પણ આતુર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top