ક્ષત્રિયોના રોષને શાંત કરવા ભાજપ આ મુદ્દા પર કરી રહી છે ચર્ચા! હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકરે 14 લોકસભા બેઠકો પર..'જાણો
Lok Sabha Elections 2024 : ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા ભાજપ અને ભાજપના નેતાઓ કામે લાગ્યા છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈને પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે 7 મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે ભાજપ ક્ષત્રિય સમાજને મનાવવાના કામે લાગી છે. જેને લઈને હર્ષ સંઘવિ અને સંગઠન મહામંત્રી રત્નાકરે 14 લોકસભા બેઠકો પર પ્રવાસ કર્યો છે અને ક્ષત્રિયોને મનાવવા સંભવ પ્રયાસ કરી રહ્યા છે.
પરશોત્તમ રુપાલાએ કરેલા વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ ચરમસીમાએ છે. ત્યારે આ વિરોધને ડામવા અને ડેમેજ કંટ્રોલ કરવા ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ભાજપે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. જેને લઈ હર્ષ સંઘવી 14 લોકસભા બેઠકોને પ્રવાસ કરી ચૂક્યા છે.હર્ષ સંઘવીએ ભાજપના ક્ષત્રિય આગેવાનો અને વિવિધ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી લીધી છે. અત્યાર સુધીમાં કચ્છ, ભાવનગર, જામનગર અને સુરેન્દ્રનગરમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આંદોલનને ડામવા મુદ્દે ચર્ચા અને મનોમંથન કરાયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp