01/26/2024
RepublicDay2024, સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેનો કાર્યક્રમ વિશ્વવિધાલયના 'શ્રી રામોત્સવ' પરિસર માં સવારે ૮ કલાકે ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા ધ્વજારોહણ કરીને તેમજ કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, સિન્ડિકેટ સદસ્ય શ્રી સંજય લાપસીવાલા , યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરીને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો હતો . ત્યારબાદ રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી . જેમાં અલગ અલગ ૫ કંન્ટીજનના ૧૦ કમાન્ડર અને ૧૨૧ કેડેટ અને પાઈલટે ભાગ લીધો હતો. ૭૫માં ગણતંત્ર દિવસની ઉજવણીનીમાં NSS ના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ અને ભગવાન શ્રીરામની ધજા સાથે પરેડ કરવામાં આવી હતી.