08/16/2025
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERT દ્વારા ભારત-પાકિસ્તાનના ભાગલા પર એક નવું મોડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. આ ખાસ મોડ્યુલને 14 ઓગસ્ટના રોજ ‘પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે’ પર રજૂ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, આ મોડ્યુલમાં ભારત-પાકિસ્તાનના ભાગલા માટે ત્રણ વ્યક્તિઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. પહેલા મહંમદ અલી ઝીણા કે જેમણે વિભાજન માંગ્યું, બીજી કોંગ્રેસ કે જેણે વિભાજનને મંજૂરી આપી અને ત્રીજા માઉન્ટબેટન કે જેમણે દેશના ભાગલા અમલમાં મુક્યા.
ભારત સરકાર દ્વારા ૨૦૨૧થી, ૧૪ મી ઓગસ્ટના દિવસને રાષ્ટ્રના ભાગલાને કારણે જીવ ગુમાવનારા અને પોતાના મૂળથી વિસ્થાપિત થયેલા તમામ લોકોને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના બલિદાને યાદ કરવાનું નક્કી કર્યું છે.