05/09/2025
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવીને પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા. ત્યારથી હવે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને માર્યા એટલે પાકિસ્તાન બોખલાયું છે અને ભારત પર હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેનાય જેમતેમ પીછેહઠ કરે તેવી નથી, તે પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે અને દરેક નાપાક હરકતને નિષ્ફળ બનાવી રહી છે. પાકિસ્તાને ગઇકાલે ભારતના કેટલાક શહેરોને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને તેનો સેનાએ જડબાતોડ જવાબ કાલે રાત્રે જ આપી દીધેલો. પાકિસ્તાનની નાપાક હરકતને લઈને સાવચેતની પગલાં રૂપે ગઇકાલે રાત્રે સીમા નજીક આવેલા ભારતના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન ઇન્ડિયન ઓઈલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને દેશના લોકોને ખાસ અપીલ કરી છે.