06/14/2025
12 જૂનના રોજ, લંડન ગેટવિક જતી એર ઇન્ડિયાની AI171 ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ટેકઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થઈ ગઈ. આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 242 લોકો સવાર હતા, જેમાં 10 ક્રૂ મેમ્બર, 2 પાઇલટ અને 230 મુસાફરોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં બોઇંગ કંપનીનું B-787 ડ્રીમલાઇનર સામેલ હતું. આ પહેલી વખત નથી, જ્યારે બોઇંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
આ અગાઉ પણ બોઇંગ કંપનીના ઘણા વિમાનો ક્રેશ થયા છે. બોઇંગ કંપનીનું કહેવું છે કે બોઇંગ 787 ડ્રીમલાઇનર પહેલી વખત ક્રેશ થયું છે. જોકે, બોઇંગનું 737 મેક્સ ઘણી વખત ક્રેશ થઈ ચૂક્યું હતું. આ વિમાનને અપડેટ કર્યા બાદ વર્ષ 2018, 2019 અને 2024માં પણ આ વિમાન ક્રેશ થયું હતું, જેમાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે સવાલ એ ઊભો થાય છે કે જો આવા અકસ્માતમાં કોઈ મુસાફરનું મોત થાય છે, તો તેના પરિવારને કેટલું વળતર મળે છે અને તેને કોણ આપે છે. ચાલો જાણીએ કે એરલાઇન કંપનીઓ માટે નિયમો શું છે?