04/09/2025
SBI ATM Transaction Rules: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ATMમાંથી ઉપાડની મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કે ATM ચાર્જના માળખાને સરળ બનાવવા અને ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ ફેરફાર કર્યો છે, જેનાથી SBI અને અન્ય બેંકના ATM પર ફાઇનાન્શિયલ અને નોનો-ફાઇનાન્શિયલ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થશે. આ નિયમ 1 ફેબ્રુઆરી, 2025થી અમલી માનવામાં આવશે.
SBIએ પોતાના અને અન્ય બેન્કોના ATMમાંથી પૈસા ઉપાડવાની મર્યાદામાં ફેરફાર કર્યો છે. આ ઉપરાંત, ખાતામાં માસિક સરેરાશ રકમ જાળવી રાખવા પર લિમિટની પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમ SBIના બધા ગ્રાહકોને લાગૂ પડશે. હવે, ગ્રાહકોને SBI ATMમાંથી દર મહિને માત્ર 5 ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના ATMમાંથી દર મહિને 10 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે.