07/27/2024
મુંબઇના વર્લી વિસ્તારમાં એક સ્પામાં ગુરુ વાઘમારે નામના હિસ્ટ્રી શીટરની હત્યા કરી દેવામાં આવી. પોલીસે આ મામલે 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. સાથે જ જણાવ્યું કે, વાઘમારેની બોડી પર 22 લોકોના નામના ટેટૂ પણ મળ્યા છે. પોલીસ મુજબ, આ નામ એ લોકોના હોય શકે છે, જેમની વાઘમારે સાથે દુશ્મની રહી હશે. ઉલ્લેખનીય છે કે વાઘમારે પોતે RTI એક્ટિવિસ્ટ હોવાનો દાવો કરતો હતો, પરંતુ તેની વિરુદ્ધ ઘણા ગુનાહિત કેસ પણ નોંધાયેલા હતા. તેની હત્યા બુધવારની સવારે સેન્ટ્રલ મુંબઇના વર્લીમાં સ્થિત સોફ્ટ ટચ સ્પામાં કરી દેવામાં આવી.