05/14/2025
પાકિસ્તાનમાં પરમાણુ લીકેજ અંગેની અફવાઓનો જવાબ વિદેશ મંત્રાલયે આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર ચોક્કસ કેટલીક બાબતો ચાલી રહી છે. ઇજિપ્ત અને અમેરિકાના વિમાનોની વાત કરવામાં આવી છે. આ સવાલોના જવાબ માત્ર તેમની પાસેથી જ મળવાના છે, પરંતુ અમારા તરફથી એ ખૂબ જ સ્પષ્ટ છે, જે આર્મી બ્રીફિંગમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમારા લક્ષ્યો ખૂબ જ સ્પષ્ટ હતા.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેટલાક અહેવાલો હતા કે પાકિસ્તાન નેશનલ કમાન્ડ 10 મેના રોજ એક બેઠક યોજાવા જઈ રહી છે, પરંતુ બાદમાં તેમણે તેને નકારી કાઢવામાં આવી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ પરમાણુ દૃષ્ટિકોણને નકારી કાઢ્યો હતો, જે રેકોર્ડ પર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે પરમાણુ બ્લેકમેલની આડમાં આતંકવાદને સહન નહીં કરે.