07/02/2025
ICMR and AIIMS Report on COVID19 Vaccines and sudden deaths: છેલ્લા એક મહિનામાં કર્ણાટકમાં 20થી વધુ લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયા. આ માટે કર્ણાટક સરકારે કોરોના વેક્સીનને જવાબદાર ઠેરવી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર કોરોના વેક્સીનને લઈને ચર્ચા શરૂ થઈ હતી, પરંતુ આજે દેશના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ICMR અને AIIMSના સંશોધનથી સ્પષ્ટ થયું છે કે કોરોના વેક્સીન અને કર્ણાટકમાં અચાનક થયેલા મોતો વચ્ચે કોઈ સંબંધ નથી. આ સંશોધન કોરોનાકાળ બાદ અચાનક થયેલા મોતો પર કરવામાં આવ્યું હતું. સંશોધનમાં તારણ નિકળ્યું હતું કે અચાનક મોતોએ કોરોના વેક્સીનની આડઅસર નથી, પરંતુ જીવનશૈલી અને જૂની બીમારીઓ મૃત્યુનું મુખ્ય કારણ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે આ વેક્સીન પૂરી રીતે સુરક્ષિત છે અને તેનાથી કોઈ જોખમ નથી. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વૈજ્ઞાનિક તથ્યોના આધારે, એવું કંઈ બહાર આવ્યું નથી જે અચાનક મોત માટે વેક્સીનને જવાબદાર ઠેરવે.
ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ સાબિત થયું છે કે ભારતમાં વપરાતી COVID વેક્સીન ન માત્ર સુરક્ષિત છે, પરંતુ બીમારીથી બચાવમાં પણ અસરકારક છે. ગંભીર આડઅસરોના કિસ્સા એટલા ઓછા છે કે તેમને અવગણી શકાય છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે વેક્સીનને અચાનક મૃત્યુ સાથે જોડતી વાતો પાયાવિહોણી અને ખોટી છે.