06/17/2025
સેન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોને કોલકાતા એરપોર્ટ પરથી ઉતારવા પડ્યા. આ ઘટના મંગળવારે વહેલી સવારે બની, જ્યારે ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે બપોરે 12:45 વાગ્યે કોલકાતા એરપોર્ટ પર ઉતરી.
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI180ના ડાબા એન્જિનમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી, જેના કારણે પ્લેનના ટેકઓફમાં વિલંબ થઈ ગયો. સવારે લગભગ 5:20 વાગ્યે પ્લેનની અંદર એક જાહેરાત કરવામાં આવી હતી અને તમામ મુસાફરોને પ્લેનમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લાઈટ સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.