03/28/2025
Delhi NCR Earthquake: શુક્રવારે બપોરે દિલ્હી NCRમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકા સમયાંતરે અનુભવાઈ રહ્યા છે. તેનું એપીસેન્ટર મ્યાંમાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યાં ભૂકંપની તીવ્રતા 7.2 હતી. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મધ્ય પ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપ પછી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બહુમાળી ઇમારતોમાં રહેતા લોકો સૌથી વધુ તણાવમાં છે. તેઓ ખુલ્લી જગ્યામાં ઝડપથી દોડતા જોવા મળ્યા. સદનસીબે, ભારતમાં તેની અસર મ્યાંમાર અને બાંગ્લાદેશ જેટલી ગંભીર રહી. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેમાં 43 લોકો ગુમ થયા હોવાનું કહેવાઇ રહ્યું છે.
આ ભૂકંપની અસર ઉત્તર-પૂર્વ ભારતમાં પણ ખૂબ જ તીવ્ર હતી. મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, આસામ અને સિક્કિમના લોકોએ ખૂબ જ તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવ્યા. ભૂકંપના કારણે ત્યાંના લોકોના ઘરો ધ્રુજતા જોવા મળ્યા. અત્યાર સુધી ત્યાંથી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર આવ્યા નથી.