05/02/2025
Pahalgam Tarror Attack: 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ ક્રૂર હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા, જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) તરફથી હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાનના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
NIAના પ્રાથમિક રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. NIAના પ્રાથમિક રિપોર્ટ મુજબ, આ હુમલો પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા, ISI અને પાકિસ્તાની સેનાના સહયોગથી કરવામાં આવ્યો હતો. આ હુમલાનું આયોજન ISIના ઈશારે પાકિસ્તાનમાં લશ્કરના મુખ્યાલયમાં કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં બેઠેલા તેમના હેન્ડલરોના સંપર્કમાં હતા. તેમને પાકિસ્તાન તરફથી માર્ગદર્શિકા અને ભંડોળ મળી રહ્યું હતું.