09/26/2025
આજ રોજ ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં 22 તારીખ થી અમલમાં આવેલા જીએસટી રિફોર્મસ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સ્વદેશી અપનાવો ઝુંબેશ અંતર્ગત બંનેએ સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રી મંડળના વિસ્તરણ બાબતે પૂછવામાં આવતાં, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ માત્ર સ્માઈલ આપી ઉભા થઇ ગયા હતા. માત્ર એટલો જવાબ આપ્યો હતો કે, થશે એટલે કહેશું. તમને પૂછ્યા વગર ન કરીશું.
ઉલ્લેખ્નીય છે કે, ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રી દરમિયાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે. વર્તમાન ક્યા મંત્રી કપાશે અને ક્યા નવા ચહેરા આવશે તે અંગેના દવાઓ થઇ રહ્યા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.