01/12/2022
Poly Talks : રાજ્યોના ઇલેક્શન્સની આચારસંહિતા પહેલા પ્રધાનમંત્રી મોદી ૮૩,૦૦૦ કરોડના પ્રજાકીય કામોના લોકાર્પણ માટે પંજાબના ફિરોઝપુર ખાતે જવાના હતા. એ પહેલા તેઓ હુસૈનીવાલા શહીદ સ્મારકની મુલાકાતે જવાના હતા. આમ તો પીએમ ભટિંડાથી હવાઈ માર્ગે જનાર હતા, પરંતુ ખરાબ મોસમને કારણે રોડમાર્ગે જવું પડ્યું. એ પછી સુરક્ષામાં ચૂક (PM Security Breach) મામલે જે કંઈ ઘટનાક્રમ સામે આવ્યો, એણે અનેક ચર્ચાઓ અને તર્કોને જન્મ આપ્યો છે. પંજાબના સીએમ ચન્ની (CM Channi) સહિતના મોદીના કટ્ટર વિરોધીઓનું માનવું છે કે મોદી (PM Modi) આ મામલે ઓવર રિએક્ટ કરી રહ્યા છે. બીજી તરફ મોદીના ચાહકો સહિતના મોટા ભાગના લોકોનું માનવું છે કે એ દિવસે જે કંઈ થયું, એને ખરેખર પ્રધાનમંત્રીની સુરક્ષામાં થયેલી ગંભીર ચૂક ગણવી જોઈએ.