04/16/2025
Rajkot: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બનતી ક્રાઇમ અને હિટ એન્ડ રનની ઘટના શાંત ગુજરાતીઓને હચમચાવી રહી છે અને તેને કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં એક છાકટા કાર ચાલકે ઘણા વાહનોને અડફેટે લઇ લીધા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું, જ્યારે 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં છે, પરંતુ હજી પણ ગુનેગારોના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ એક બાદ એક ઘટના આવી બની રહી છે, જે પોલીસ સામે સવાલ ઉભા કરે છે.