12/13/2025
અંકિત ચૌધરી યૌન શોષણ કેસની પોલીસ તપાસમાં માંડવી તાલુકામાં આદિવાસીઓના થતા ગેરકાયદેસર ધર્માંતરણનો પર્દાફાસ થયો છે. ડૉક્ટર અંકિત ચૌધરી, જે માંડવીમાં ન્યૂ ક્લિનિક હૉસ્પિટલ ચલાવે છે, તેણે એક મહિલાનું યૌન શોષણ કર્યું હતું અને ગેરકાયદેસર ધર્માંતરણ કરાવી હતી ત્યારબાદ પીડિતાના પરિવારને પણ ધર્માંતરણ કરવા માગ કરવામાં આવી હતી. મહિલાનું યૌન શોષણ કર્યા બાદ મહિલાને તરછોડી દીધી હતી. આ મામલે માંગરોળના DySP વનાર અને તેમની ટીમે કરેલી તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. માંડવી પોલીસે અગાઉ પુત્રની ધરપકડ કર્યા બાદ હવે તેના પિતા, પીપલવાડા સરકારી શાળાના આચાર્ય અને પાદરી રામજી ચૌધરીની પણ ધરપકડ કરી હતી.
લાખગામ ગામના ડૉ. અંકિત ચૌધરીએ એક આદિવાસી યુવતીને લાલચવીને શારીરિક શોષણ કર્યું હતું. આ મામલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવા રજૂઆત કરાઇ હતી. જેના આધારે પોલીસે ડૉ. અંકિત ચૌધરીની ધરપકડ કરી હતી.