06/16/2025
Israel-Iran conflict: ઇઝરાયલ સાથેના તણાવ વચ્ચે ઇરાનના આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં ઇઝરાયલી હુમલાઓમાં 224 લોકો માર્યા ગયા છે અને 1200થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. મંત્રાલયના પ્રવક્તા હુસૈન કેરમનપોરે જણાવ્યું હતું કે 65 કલાકના ઇઝરાયલી બોમ્બમારા બાદ કુલ 1277 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 224 લોકો માર્યા ગયા છે તેમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મૃતકોમાં 90 ટકા સામાન્ય નાગરિકો હતા. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે કહ્યું હતું કે, આ હુમલામાં ઇરાનના ગુપ્તચર વડા મોહમ્મદ કાઝમી અને 2 અન્ય જનરલો પણ માર્યા ગયા છે. આ ઉપરાંત, આ હુમલામાં ઘણા ઉચ્ચ સ્તરીય લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.