05/06/2025
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણીએ છે. બંને દેશો વચ્ચેના તણાવને કારણે વિશ્વમાં તણાવ વધ્યો છે. પાકિસ્તાન નાચી-નાચીને દુનિયા સમક્ષ પોતાની ખોટી બેગુનાહીનો ઢંઢેરો ઠોકી રહ્યું છે. જ્યારે આ વખત ભારત ખુલ્લા પાડીને જ છોડશે. પહેલગામ હુમલા અંગે રશિયા અને અમેરિકા જેવા કેટલાક દેશો ખુલ્લેઆમ ભારતનું સમર્થન કરી રહ્યા છે. જ્યારે ચીન અને તુર્કી સહિત કેટલાક દેશો પાકિસ્તાનની સાથે છે. કેટલાક યુરોપિયન દેશો ક્યાં તો તટસ્થ થઈને મજા લઈ રહ્યા છે અથવા જ્ઞાન આપી રહ્યા છે કે કોઈ લશ્કરી કાર્યવાહી ન થવી જોઈએ. એવામાં, એસ જયશંકરે જે રીતે યુરોપિયન દેશોને ચમકાવ્યા છે ત્યારબાદ, UN ચીફ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના સૂર પણ બદલાયો છે. તેમણે ભારતીય ભાષામાં ગુનેગારોને કડક સજા આપવાની વાત કહી દીધી.
જી હા, જયશંકરે તાજેતરમાં આર્કટિક સર્કલ ઈન્ડિયા ફોરમમાં એક વાત કહેલી. આ આખી દુનિયા માટે એક સંદેશ હતો, જે પાકિસ્તાનના હમદર્દ બને છે અથવા ભારતને લશ્કરી કાર્યવાહી રોકવાનું જ્ઞાન આપે છે. આ કાર્યક્રમમાં, એસ. જયશંકરે વિશ્વને સ્પષ્ટપણે કહ્યું હતું કે, અમને જ્ઞાન આપનારની જરૂર નથી. જ્યારે આપણે દુનિયા તરફ જોઈએ છીએ, ત્યારે આપણે ભાગીદાર શોધીએ છીએ, ઉપદેશક નહીં. ખાસ કરીને ઉપદેશક જે પોતાના દેશમાં આચરણ નથી કરતા અને બીજાઓને કહે છે, એટલે કે જ્ઞાન આપનાર. વાસ્તવમાં, જયશંકર એ યુરોપિયન દેશોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે યુરોપિયન દેશો ભારતને લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ન અપનાવવા અને વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાની સલાહ આપી રહ્યા છે.