05/10/2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંઘર્ષ વચ્ચે, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો ભારત રોકાયું તો અમે પણ રોકાવા માટે તૈયાર છીએ. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન વધુ નુકસાન ઇચ્છતું નથી. જિયો ન્યૂઝ સાથે વાત કરતા, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું કે, ‘અમે પોતાને નુકસાન પહોંચાડવા માગતા નથી. અમે વિનાશ અને પૈસાનો બગાડ ઇચ્છતા નથી. પાકિસ્તાન હંમેશાં શાંતિ ઇચ્છતું રહ્યું છે અને જો ભારત આ સમયે અટકી જશે, તો અમે શાંતિનો પર વિચાર કરીશું અને જવાહી કાર્યવાહી કે કંઈ નહીં કરીએ. અમને વાસ્તવમાં શાંતિ જોઈએ છે.’
પરંતુ ઇશાક ડારનું એમ કહેવું કે, ‘જો ભારત રોકાય જાય છે તો અમે શાંતિ પર વિચાર કરીશું..’એ પણ ઘણું બધુ કહી દે છે. વાસ્તવમાં તેઓ નથી ઇચ્છતા કે પાકિસ્તાનમાં શાંતિ બનેલી રહે. ભારત રોકાય જાય અને પછી પાકિસ્તાન રોકાવાની જગ્યાએ વિચાર જ કરતું રહે અને નાપાક હરકતોથી ઉપર ન આવે તેની શું ગેરન્ટી? પાકિસ્તાન હંમેશાં પીઠ પાછળ છરો મારવામાં આગળ છે. તો તેના પર વિશ્વાસ કઈ રીતે કરવો?