05/09/2025
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર ચલાવીને’ પાકિસ્તાન અને Pokમાં આવેલા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. ત્યારથી ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમા પર છે. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને માર્યા હતા, જેથી તે બોખલાયું છે અને ભારતમાં સામાન્ય નાગરિકોને નિશાનો બનાવી રહ્યું છે. ત્યારે ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. ગઇકાલે રાત્રે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનના 6 શહેરો પણ મિસાઈલો વડે હુમલો કર્યો હોવાના અહેવાલ છે. પણ પાકિસ્તાને જ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરીને નાપાક હરકત કરી રહ્યું છે અને ભારતે પહેલા જ કહી દીધું છે કે જો પાકિસ્તાન કોઈ નાપાક હરકત કરશે તો ભારત પણ જવાબી પ્રહાર કરશે. અમે આતંકીઓને માર્યા છે ન કે સામાન્ય નાગરિકોને. ભારતે પણ એજ કર્યું. પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, તો ભારતે પણ તેને જડબાતોડ જવાબ આપ્યો.