04/22/2025
સુરત જિલ્લામાં આવેલા અંતરિયાળ ગામોમાં હવે બહારગામ જવું હોય તો પોલીસ સ્ટેશનને જાણ કરવી પડશે. સુરત જિલ્લા સહિત તમામ કેટલાક જિલ્લાઓમાં આદેશ આપવામાં આવ્યા છે. વેકેશનમાં ઘરફોડ ચોરીનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લામાં હવે ADG પ્રેમવીર સિંહ દ્વારા આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે. ક્રાઇમ કોન્ફરન્સમાં આ મુદ્દે DG દ્વારા સહમતી આપવામાં આવી હતી. ADG પ્રેમવીર સિંહે જણાવ્યુ હતું, તેમના દ્વારા સુરત જિલ્લા સિવાય વલસાડ, નવસારી, ડાંગ અને આહવામાં એવા સંવેદનશીલ પોઈન્ટ ડિટેક્ટ કરાયા છે, જે ગામોવા લોકો બહાર જાય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડશે, જેથી પોલીસ આવા ઘરો પર ખાસ નજર રાખશે. સુરત જિલ્લામાં આ પ્રકારે પહેલી વખત કામગીરી આવશે.