04/25/2024
સાળંગપુર હનુમાન દાદાના ભક્તો દેશ દુનિયામાં ફેલાયેલા છે. સાળંગપુરના હનુમાનજી પર આસ્થા રાખનારા ભક્તોની પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે બારેમાસ ભીડ લાગેલી રહે છે. અત્યાર સુધી સાળંગપુર સુધી પહોંચવા માટે માત્ર રોડમાર્ગની સુવિધા હતી. પરંતુ હવે ઉડીને પણ સાળંગપુર પહોંચી શકાશે. અમદાવાદથી સાળંગપુરની હેલિકોપ્ટર રાઈડ જલ્દી જ શરૂ થવા જઈ રહી છે, જેમાં માત્ર 40 મિનિટમાં અમદાવાદથી સાળંગપુર પહોંચી શકાશે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે.