03/17/2025
Rajkot Hit and Run Case: ગુજરાતમાં નશેડીઓનો તરખાટ વધી રહ્યો છે. થોડા દિવસ અગાઉ વડોદરામાં એક નશેડીએ ૩ ટૂ-વ્હીલર્સને અડફેટે લઇ લીધા હતા, જેમાં એક મહિલાઓ મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું, જ્યારે 6 લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી. તો ગાંધીનગર અને દમણમાં પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. હવે ગુજરાતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.
રવિવારે રાત્રે રાજકોટમાં માવડી મુખ્ય રોડ ઉપર કાળભૈરવ મંદિર પાસે ભારત પેટ્રોલપંપ નજીક ઋત્વિચ પટોળીયા નામના નબીરાએ નશાની હાલતમાં 3 લોકોને અડફેટે લઇ લીધા હતા. જેથી આ બધાને ઇજાઓ પહોંચતી હતી. આ તમામને સારવાર માટે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં, જેમાં વૃદ્વ પ્રફુલ ઉનડકરનું સારવાર દરમિયાન મોત થઇ ગયું છે અને અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતને કારણે 12 વર્ષીય છોકરીને માથામાં હેમરેજ થયું છે.