27મી સપ્ટેમ્બરને વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સુરત અને તાપી જિલ્લામાં આવેલા ઇકો ટુરીઝમ થકી જંગલ ખાતું લાખોની કમાણી તો કરે જ છે, પરંતુ સાથે સાથે આ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.ટુરિઝમ ને પ્રોત્સાહન આપવામાં માટે નવા પ્રોજેક્ટ પણ હાલ શરૂ કરવામાં આવ્યા છે.
સુરત અને તાપી જિલ્લામાં અલગ અલગ ટુરિઝમના સ્થળો આવેલા છે. વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં કેવડી, દેવઘાટ અને બાનવા ડુંગર એમ 3 ઇકો ટુરિઝમ સાઈટ્સ આવેલી છે. આની વાત કરવામાં આવે તો તેઓની મહિનાની આવક 3 લાખથી ઉપર છે સાથે જ અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવી એક્ટિવિટીઝ પણ કરવામાં આવે છે આ અંગે સુરત જિલ્લાના ડીસીએફ આનંદ કુમારે કહ્યું કે હાલ અમે 60 થી વધુ આદિવાસી લોકોને રોજગારી આપી રહ્યા છે, સાથે જ અહીં આવતા પ્રવાસીઓને સારા સાત્વિક ભોજનની સુવિધા મળી રહે તે માટે નાહરી ભોજનાલય પણ ચલાવીએ છીએ. દર વર્ષે અમે ટ્રેકિંગ કરતા હોઈએ છીએ પરંતુ હવે અમે અહીં રેગ્યુલર ટ્રેકિંગની શરૂઆત પણ કરી છે એટલે કે જે પ્રવાસીઓ અહીં એક ઓ ટુરીઝમની મુલાકાતે આવતા હોય છે. તેઓને એક નાનું ટ્રેકિંગ કરવું હોય તો તે લોકોને અહીં કરાવવામાં આવે છે સાથે જ દર પંદર દિવસે સાયકલ રાઈડની પણ અહીં સુવિધા કરવામાં આવી છે જ્યારે ઓક્ટોબરના પ્રથમ વિકમાં દીપડા અંગે ની અવેરનેસ માટે એક સેમિનાર નું પણ આયોજન કરવામાં આવ્યું છે.