જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં (Amarnath Cave) બાબા બર્ફાનીના દર્શન પર હંગામી ધોરણ રોક લગાવી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ખરાબ હવામાનના કારણે આ રોક લગાવામાં આવી છે. પ્રશાસને જણાવ્યું છે કે, ખરાબ હવામાનના (Bad weather) કારણએ બાલટાલ અને પહલગામમાં (Pahalgam) હંગામી ધોરણે યાત્રા પર રોક લગાવામાં આવી છે. કહેવાયુ છે કે, હવામાન સાફ થયા બાદ જવાની મંજૂરી આપવામાં આવશે. કશ્મીર ઘાટીમાં આગામી 24થી 36 કલાક સુધી વરસાદનું એલર્ટ છે. ઘાટીમાં મોડી રાતે ભારે વરસાદ પડ્યો હતો.