Shefali Jariwala Passed Away: શેફાલી જરીવાલા અગાઉના 'Bigg Boss'ના એ 6 એક્સ કન્ટેસ્ટેન્ટ, જેમના

Shefali Jariwala Passed Away: શેફાલી જરીવાલા અગાઉના 'Bigg Boss'ના એ 6 એક્સ કન્ટેસ્ટેન્ટ, જેમના અચાનક નિધનથી ફેન્સને લાગેલો ઝટકો

06/28/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

Shefali Jariwala Passed Away: શેફાલી જરીવાલા અગાઉના 'Bigg Boss'ના એ 6 એક્સ કન્ટેસ્ટેન્ટ, જેમના

Shefali Jariwala Passed Away: મનોરંજન જગતમાં, રિયાલિટી શૉ 'બિગ બોસ'એ ઘણા સ્પર્ધકોને ઓળખ આપી, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ હતા જેમના અકાળે નિધન થવાથી ચાહકોને આઘાતમાં નાખી દીધા છે. હવે તેમાં અભિનેત્રી શેફાલી જરીવાલાનું નામ પણ જોડાઈ ગયું છે, જેનું શુક્રવારે રાત્રે નિધન થઈ ગયું. અહેવાલોમાં દાવો કરી રહ્યા છે કે અભિનેત્રીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેનો પતિ અને નજીકના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું અને ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી. 42 વર્ષની ઉંમરે શેફાલી જરીવાલાના મોતથી દરેક વ્યક્તિ આઘાતમાં છે. પરંતુ શેફાલી અગાઉ 6 ભૂતપૂર્વ બિગ બોસ કન્ટેસ્ટેન્ટ એવા છે, જેમના અચાનક નિધને ચાહકોને ચોંકાવી દીધા હતા.


આ બિગ બોસ સ્પર્ધકોનું અચાનક અવસાન થયું

આ બિગ બોસ સ્પર્ધકોનું અચાનક અવસાન થયું

સિદ્ધાર્થ શુક્લા

બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું 2021માં 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું હતું. રિયાલિટી શૉમાં તેની પર્સનાલિટીએ ચાહકોમાં એક અલગ ઓળખ બનાવી હતી. તો, તેના નિધનથી માત્ર ઈન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ ચાહકોને પણ આઘાત લાગ્યો હતો.

પ્રત્યુષા બેનર્જી

બિગ બોસ 7ની કંન્ટેસ્ટેન્ટ પ્રત્યુષા બેનર્જીએ 2016માં 24 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. તેના ખુશમિજાજ અને ઉત્સાહી વ્યક્તિત્વએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. તેના દુ:ખદ નિધને બધાને ચિંતિત કરી દીધા હતા.

સ્વામી ઓમ સોનાલી ફોગાટ

બિગ બોસ 14ની કન્ટેસ્ટેન્ટ અને ભાજપ નેતા સોનાલી ફોગાટનું 2023માં 42 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેની ઉર્જા અને ખંતથી ઘણા લોકોને પ્રેરણા મળી. તેના અચાનક નિધનથી બધાને હેરાન કરી દીધા હતા.

સોમદાસ ચટ્ટન્નૂર

બિગ બોસ મલયાલમ સીઝન 1ની કંન્ટેસ્ટેન્ટ સોમદાસ ચટ્ટન્નૂરનું 2021માં કોવિડ-19થી નિધન થઈ ગયું હતું. તેની શાનદાર સ્મિતે મલયાલમ દર્શકોના દિલ જીતી લીધા હતા. તેના નિધને મહામારીના પ્રભાવને રેખાંકિત કરી.

જયશ્રી રામૈયા

બિગ બોસ કન્નડ સીઝન 3ની કંન્ટેસ્ટેન્ટ જયશ્રી રામૈયાએ 2020માં આત્મહત્યા કરી હતી. તેમના હાસ્ય અને ઉત્સાહથી દર્શકો પ્રભાવિત થયા હતા. તેના દુ:ખદ નિધનથી બધાને આઘાત લાગ્યો હતો.

આ સ્ટાર્સની ખોટ હંમેશાં સાલશે, અને તેમની યાદો ચાહકોના હૃદયમાં જીવંત રહેશે.


શેફાલી જરીવાલાએ અક્ષય અને સલમાનની ફિલ્મથી કરેલું બોલિવુડ ડેબ્યૂ

શેફાલી જરીવાલાએ અક્ષય અને સલમાનની ફિલ્મથી કરેલું બોલિવુડ ડેબ્યૂ

શેફાલી જરીવાલાએ 2002માં પોપ ગીત 'કાંટા લગા'ના રિમેકથી રાતોરાત લોકપ્રિયતા મેળવી હતી. આ ગીતે તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી દીધી. આ પછી, તેણે 2004માં સલમાન ખાન અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં એક નાની પણ નોંધપાત્ર ભૂમિકા સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ઘણા ઓછા લોકો જાણે છે કે આ તેની પહેલી બોલિવુડ ફિલ્મ હતી. જોકે તેની ફિલ્મી કારકિર્દી લાંબા સમય ટકી ન ટકી, પરંતુ તેણે ટીવીની દુનિયામાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી હતી.

શેફાલીએ 'નચ બલિયે' અને 'બિગ બોસ 13' જેવા લોકપ્રિય રિયાલિટી શોમાં ભાગ લીધો હતો, જ્યાં તેના વ્યક્તિત્વ અને ડાન્સે દર્શકોના દિલ જીતી લીધા હતા. 'નચ બલિયે'માં, તેણે પોતાના પતિ પરાગ ત્યાગી સાથે જોડી બનાવીને દર્શકોને પ્રભાવિત કર્યા હતા. 'બિગ બોસ 13'માં તેની હાજરીએ પણ તેને લાઇમલાઇટમાં રાખી હતી.

પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા તે પહેલા, શેફાલી જરીવાલાએ 2004માં સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા, જેને મીત બ્રધર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2009માં આ દંપતીના છૂટાછેડા થયા. શેફાલીએ તેમના પર ઘણા આરોપો પણ લગાવ્યા. ત્યારબાદ અભિનેત્રીએ પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top