12/01/2025
આમ તો શિયાળો એટલે આરોગ્યલક્ષી ખોરાકનો ખજાનો. કહેવાય છે કે શિયાળામાં ખાધેલી દરેક વસ્તુ વ્યક્તિને વર્ષભર સ્વસ્થ રાખે છે. આમ તો શિયાળાના ઘણાં સુપરફૂડ છે. પરંતુ શરીરને કેન્સર જેવા ભયાનક રોગ સામે સ્વાભાવિક રીતે લડવામાં સક્ષમ બનાવે ગાજર, લસણ અને બ્રોકોલી જેવા ખાદ્યપદાર્થો છે. આ પદાર્થો એન્ટીઑક્સિડન્ટ્સ, એન્ટીઇન્ફ્લેમેટરી તત્ત્વો અને અન્ય પોષક દ્રવ્યોથી સમૃદ્ધ છે, જે શરીરના કોષોના સમારકામ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આજના સમયમાં દરેક પેઢીમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ત્યારે શરીર વિજ્ઞાનના નિષ્ણાતોનું કહેવું છે કે, આહાર અને જીવનશૈલી પ્રત્યે ગંભીરતા બતાવવી અત્યંત જરૂરી છે. કારણ કે તે ગંભીર રોગોના જોખમને ઘટાડે છે અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પણ જાળવે છે.