09/12/2025
ભારતીય રસોડામાં દેશી ઘી અને માખણ બંને ખૂબ મહત્વપૂર્ણ ભાગ છે. ભારતીય લોકો આ બંનેનો ખોરાકમાં ખૂબ જ શોખથી ઉપયોગ કરે છે. મોટેભાગે તેને રોટલી, પરોઠા, રોટલા પર લગાવીને ખાય છે. આ ઉપરાંત ક્યારેક દાળમાં નાખીને, તો ક્યારેક શાકના વઘારમાં દેશી ઘી અને માખણનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. કેટલાક લોકોને દેશી ઘી તો કેટલાક લોકોને માખણ ગમે છે. જો કે બંનેમાં ચરબી ભરપુર માત્રામાં જોવા મળે છે. ચરબી ઉપરાંત, તેમાં ઘણા પ્રકારના વિટામિન અને કેલરી પણ રહેલા છે.
કેટલાક લોકો કહે છે કે, ઘી સારું છે. જ્યારે કેટલાક કહે છે કે, માખણ સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમે પણ આ મૂંઝવણમાં છો, તો આ લેખ તમારા માટે છે. અહીં અમે તમને જણાવીશું કે ઘી અને માખણમાંથી શેમાં વધુ ચરબી હોય છે અને શું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.