શું તમે જાણો છો પાણીપૂરી ખાવાથી શરીરને મળે છે આ ભરપુર ફાયદાઓ!? પણ એક શરત પર? જાણો

શું તમે જાણો છો પાણીપૂરી ખાવાથી શરીરને મળે છે આ ભરપુર ફાયદાઓ!? પણ એક શરત પર? જાણો

11/22/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે જાણો છો પાણીપૂરી ખાવાથી શરીરને મળે છે આ ભરપુર ફાયદાઓ!? પણ એક શરત પર? જાણો

પાણીપુરી ભારતનું સૌથી લોકપ્રિય અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરીને મહિલાઓમાં લોકપ્રિય એવી આ વાનગી મસાલેદાર બટાકાનો મસાલો, પાણીનો  ખાટો-મીઠો સ્વાદ અને કરકરી પુરી—આ બધું મળી પાણીપુરીને અનોખી ઓળખ આપે છે. જો કે તેને ઘણી વખત માત્ર ચટાકેદાર નાસ્તા તરીકે જ ગણવામાં આવે છે, પણ તે માત્ર જીભને જ સ્વાદ નથી આપતી, પરંતુ તેમાં કેટલાક સ્વાસ્થ્ય વર્ધક લાભો પણ છુપાયેલા છે! ફુદીનો, આમલી, આદુ અને ધાણાના મિશ્રણથી બનેલું તેનું પાણી એક ઉત્તમ સ્વાદ સાથે શરીરને અનેક રીતે ફાયદોઓ આપે છે.પણ ત્યારે જ જ્યારે તે સ્વચ્છ રીતે અને યોગ્ય સામગ્રીથી બનાવવામાં આવે.


હૃદય અને રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય સુધારે

હૃદય અને રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય સુધારે

પાણીપુરીના પાણીમાં આમલી અને આદુ હોય છે, જે લોહીની નસોને આરામ આપે છે. આનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આદુમાં રહેલા ગુણધર્મો હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે. ઉપરાંત, પાણીપુરીમાં મીઠું અને મસાલાનું સંતુલિત પ્રમાણ ઇલેક્ટ્રોલાઇટ્સ જાળવવામાં થોડો ફાયદો કરે છે, ખાસ કરીને ટ્રાવેલિંગ દરમિયાન અને ઉનાળામાં.


પાચન અને ડિટોક્સિફિકેશન મજબૂત કરે

પાચન અને ડિટોક્સિફિકેશન મજબૂત કરે

પાણીમાં મિશ્રિત ફુદીનો અને ધાણા શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ફુદીનો તેના પાચન સુધારવાના ગુણો માટે જાણીતો છે, જે પેટમાં ગેસ અને અપચા જેવી સમસ્યાઓને દૂર કરવામાં સહાયક બને છે. પરિણામે, તમારું પાચન તંત્ર સુધરે છે અને પેટ હળવું રહે છે. પાણીપુરીની અંદર ભરાતું ઉકાળેલું બટાટું, વટાણા અથવા ચણા કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનું સારો સ્ત્રોત છે. આ શરીરને તાત્કાલિક ઊર્જા આપે છે અને લાંબા સમય સુધી તૃપ્તિનો અનુભવ કરાવે છે. ચણામાં રહેલો ફાઈબર પાચનને સુધારે છે અને પોષણની દ્રષ્ટિએ પણ લાભદાયી છે.


રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટ કરે

રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટ કરે

પાણીપુરીના પાણીમાં આદુ, ધાણા અને હિંગ (વૈકલ્પિક) નો ઉપયોગ થાય છે. આ ઘટકોમાં એન્ટીઑકિસડન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. મજબૂત ઇમ્યુનિટી તમને સામાન્ય બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. ખાટાશ માટે ઉમેરાતું લીંબુ અથવા આમલી વિટામિન–Cથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લીંબુ પાણી શરીરમાંથી ટૉક્સિન દૂર કરવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને ગરમ હવામાનમાં આ મસાલાદાર પાણી શરીરને થોડી ઠંડકનો અનુભવ પણ કરાવે છે.


મોઢાને તાજગી આપી મૂડ સારો કરે છે

મોઢાને તાજગી આપી મૂડ સારો કરે છે

ફુદીનો અને ધાણામાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જ્યારે તમે પાણીપુરીનું પાણી પીઓ છો, ત્યારે આ ગુણધર્મો મોઢાના બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ કરે છે. આનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને તાજગીનો અહેસાસ થાય છે. સાથે જ પાણીપુરીનો ખાટો-મીઠો અને તીખો સ્વાદ મગજમાં ખુશીના હોર્મોન્સ, જેમ કે સેરોટોનિન, ને મુક્ત કરે છે. તીખો સ્વાદ એન્ડોર્ફિન્સને પણ ઉત્તેજિત કરે છે. આનાથી તમારો મૂડ હળવો થાય છે અને તણાવ દૂર થાય છે. આ એક ઝડપી મૂડ-લિફ્ટર તરીકે કામ કરે છે.

આ રીતે, પાણીપુરી માત્ર સ્વાદિષ્ટ નાસ્તો જ નથી, પરંતુ યોગ્ય રીતે બનાવવામાં આવે તો તેમાં અનેક સ્વાસ્થ્યદાયક ગુણો પણ છુપાયેલા છે. પણ આ લાભો મુખ્યત્વે પાણીપુરીના પાણીમાં રહેલા કુદરતી ઘટકો પર આધારિત છે. જો તમે સ્વચ્છતા અને યોગ્ય રીતે બનાવેલી પાણીપુરી ખાઓ તો જ આ ફાયદા મળી શકે છે. અસ્વચ્છ સ્થળો પર તેનું સેવન કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

(Disclaimer: અહીં વિષય અંગેની સામાન્ય માહિતી આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com સ્વાસ્થ્યને લગતી કોઈપણ પ્રકારની સલાહ, સારવાર કે ઉપચાર પદ્ધતિની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ અવશ્ય લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top