07/01/2022
ઓરિસ્સાના પુરી શહેરમાં સ્થિત જગન્નાથનું મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર હિંદુઓના તીર્થસ્થાનોમાંથી એક છે. એવું કહેવાય છે કે, દરેક હિંદુએ મરતા પહેલા ચાર ધામના દર્શન કરવા જોઈએ, તેનાથી મોક્ષ મળે છે. જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણનું મંદિર છે, જે ખૂબ વિશાળ અને ઘણા વર્ષો જૂનું છે. આ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવે છે. આ સ્થળનું મુખ્ય આકર્ષણ જગન્નાથ પુરીની રથયાત્રા છે. આ રથયાત્રા કોઈ ઉત્સવથી ઓછી નથી, પુરી સિવાય દેશ અને વિદેશના ઘણા ભાગોમાં આ રથયાત્રા કાઢવામાં આવે છે.