09/25/2023
સુરત સહિત સમગ્ર ભારતમાં ગણેશોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ગણપતિ બાપ્પાને રિઝવવા માટે ભક્તો દ્વારા વિવિધ પ્રકારના પ્રસાદ બાપ્પાને થાળમાં ધરાવવામાં આવે છે. ગણેશોત્સવના એક દિવસ દરમિયાન વિવિધ પ્રકારની વાનગીઓ સાથે છપ્પન ભોગ પણ ધરાવવામાં આવે છે. જોકે, બાપ્પાને છપ્પન ભોગ ધરાવવામાં આવતા હોવા છતાં મહારાષ્ટ્રીયન મોદક અચૂક ધરાવવામાં આવે છે. આ પ્રસાદ અંગે ફાલ્ગુની ધાવડે કહે છે, એવી લોકવાયકાઓ છે કે, ગણપતિજીને અનેક પ્રકારના ભોજન આપ્યા બાદ પણ તેમને તૃપ્તિ થતી ન હતી. તેથી પાર્વતી માતાએ પોતાના હાથે ચોખાનો લોટ, કોપરું અને ગોળ વગેરેનો ઉપયોગ કરીને એક ખાસ પ્રકારના મોદક બનાવ્યા હતા. આ પ્રકારના 21 મોદક ખાધા બાદ તેમને તૃપ્તી થઈ હતી. ગણપતિજીને 21 લાડુ આરોગ્ય બાદ તૃપ્તિ થઈ હતી તેથી પાર્વતી માતા એ એવું કહ્યું હતું મનુષ્ય જ્યારે ગણેશજીની પૂજા કરશે અને આવા 21 મોદકનો ભોગ ધરાવશે ત્યારે તેમની મનોકામના પૂર્ણ થશે. આ પ્રકારની લાક વાયકા બાદ ગણેશોત્સવમાં છપ્પન ભોગ પછી પણ આ મોદક અચુક ધરાવવામાં આવે છે. પહેલા ફક્ત મહારાષ્ટ્રમાં જ આ પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો પરંતુ હવે અનેક મહારાષ્ટ્ર ગુજરાતમાં છે તેથી અનેક ગુજરાતી પરિવારો પણ આ પ્રકારના મોદક નો ભોગ બાપ્પાને ધરાવી રહ્યા છે. બાપ્પાને મોદક ધરાવ્યા બાદ તેનો પ્રસાદ લોકો આરોગે છે આ રીતે બનાવાયેલો પ્રસાદ લોકોના આરોગ્ય માટે સારો હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામા આવ્યો છે તેથી આ પ્રસાદ આરોગવા થી લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.
પહેલા ફક્ત મહારાષ્ટ્રમાં જ આ પ્રકારનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો પરંતુ હવે અનેક મહારાષ્ટ્ર ગુજરાતમાં છે તેથી અનેક ગુજરાતી પરિવારો પણ આ પ્રકારના મોદક નો ભોગ બાપ્પાને ધરાવી રહ્યા છે. બાપ્પાને મોદક ધરાવ્યા બાદ તેનો પ્રસાદ લોકો આરોગે છે આ રીતે બનાવાયેલો પ્રસાદ લોકોના આરોગ્ય માટે સારો હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં પણ કરવામા આવ્યો છે તેથી આ પ્રસાદ આરોગવા થી લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.