12/14/2024
ભારતે 2030 સુધીમાં રસ્તાઓ પર 8 કરોડ EV સાથે 30 ટકા ઈલેક્ટ્રિક વાહનો રાખવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. પરંતુ વેચાણના જથ્થામાં સતત વૃદ્ધિ અને કેન્દ્રિત સરકારી પ્રયત્નો છતાં, પ્રગતિ અત્યાર સુધી ધીમી રહી છે.સ્થાનિક અને વિદેશી કંપનીઓએ આગામી છ વર્ષમાં ભારતના ઇલેક્ટ્રિક વાહન (EV) અને સહાયક ઉદ્યોગોમાં રૂ. 3.4 લાખ કરોડના જંગી રોકાણની જાહેરાત કરી છે. બુધવારે એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઈન્ડિયાએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ઈવી અપનાવવાની ગતિ તેજ થઈ નથી અને 2030 સુધીમાં ઈવીના પ્રવેશને 30 ટકા સુધી વધારવાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં પ્રગતિ ધીમી રહી છે. 'ભારતમાં EVs: ન્યૂ ઇમ્પિટસ ઇન ઇલેક્ટ્રિક મોબિલિટી' શીર્ષક હેઠળનો અહેવાલ જણાવે છે કે ભારતમાં કુલ વાહનોમાં EVનું પ્રમાણ હાલમાં આઠ ટકા છે. તેણે વર્ષ 2024માં લગભગ 20 લાખ ઈવીના વેચાણનો અંદાજ પણ મૂક્યો છે.