04/01/2025
BCCI Central Contract 2025: ભારતીય ટીમને પોતાની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતડનાર રોહિત શર્મા તે BCCIની 2024-25ની કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં જ રહેશે. મીડિયા રિપોર્ટ્સ BCCIના સૂત્રોના સંદર્ભે કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી પણ પોતાનો કોન્ટ્રાક્ટ યથાવત રાખશે, તે પણ A+ ગ્રેડમાં રહેશે. જ્યારે શ્રેયસ અય્યર યાદીમાં વાપસી કરશે.
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. વિરાટ કોહલીએ પણ આ ફાઈનલ મેચ બાદ T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે. BCCIના સૂત્રોના જણાવ્યા અનુસાર, T20માંથી નિવૃત્તિ બાદ પણ બંનેને A+ ગ્રેડમાં રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બોર્ડનું માનવું છે કે, બંને દિગ્ગજ ક્રિકેટર્સ ટીમની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને એ સન્માન મળવું જોઈએ, જેના તેઓ હકદાર છે.
ફેબ્રુઆરી 2024માં BCCIએ વિરાટ, રોહિતની સાથે જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને A+ ગ્રેડમાં સામેલ કર્યા હતા. ગ્રેડ Aમાં કુલ 6 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જોકે શ્રેયસ અય્યરનું નામ તેમાં સામેલ નહોતું.