05/30/2025
વૈભવ સૂર્યવંશીએ 30 મે (શુક્રવાર)ના રોજ પટના એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વૈભવે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન વૈભવના માતા-પિતા પણ હાજર હતા. 14 વર્ષીય વૈભવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર રમત દેખાડી હતી. ગુજરાત ટાઇટન્સ (GT) વિરુદ્ધ મેચમાં વૈભવે બેટથી તબાહી મચાવી હતી. વૈભવે તે મેચમાં માત્ર 35 બૉલમાં સદી ફટકારી હતી. આ સાથે વૈભવ IPLમાં સૌથી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશી સાથેની પોતાની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના X હેન્ડલ પર લખ્યું કે, ‘યુવા ક્રિકેટ સેન્સેશન વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે પટના એરપોર્ટ પર મુલાકાત થઈ. તેના ક્રિકેટ સ્કિલની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. તેના ભવિષ્ય માટે મારી શુભેચ્છાઓ.’