09/01/2025
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ, રોહિત શર્માના ODI ક્રિકેટમાં ભવિષ્ય વિશે અટકળો ચાલી રહી છે. એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI શ્રેણી સાથે તેની સફરનો અંત આવી શકે છે. પરંતુ તે પ્રવાસ માટે તેની પસંદગી પહેલાં ફિટનેસનો સવાલપણ ઉઠતો રહ્યો અને આ સવાલનો જવાબ આપવા માટે, ભારતીય ODI ટીમના કેપ્ટન રોહિત શર્મા બેંગલુરુ પહોંચ્યા, જ્યાં તેમને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું. અહેવાલો અનુસાર, આ પરીક્ષાનું પરિણામ પણ સામે આવ્યું અને રોહિતે કોઈપણ સમસ્યા વિના આ પરીક્ષામાં પાસ થઈ ગયો.
ઘણા દિવસોના વિરામ બાદ, રોહિત શર્મા ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ અને અન્ય ઘણા ખેલાડીઓ બેંગ્લોરમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ફિટનેસ ટેસ્ટ માટે પહોંચ્યા હતા. અહીં શનિવાર અને રવિવારે બે દિવસ માટે બધા ખેલાડીઓની ટેસ્ટ લેવામાં આવી. BCCIએ તાજેતરમાં ખેલાડીઓની ફિટનેસ તપાસવા માટે યો-યો ટેસ્ટની સાથે બ્રોન્કો ટેસ્ટનો પણ સમાવેશ કર્યો છે. હાલમાં તે સ્પષ્ટ નથી કે આ ખેલાડીઓની બ્રોન્કો ટેસ્ટ થઈ હતી કે નહીં, પરંતુ અહેવાલો અનુસાર, બધા ખેલાડીઓએ યો-યો ટેસ્ટ જરૂર કરાવી હતી.