358 રન બનાવવા છતા ભારતીય ટીમને કેમ હાર મળી, આ છે 5 કારણો
જો કોઈ ટીમ સ્કોરબોર્ડ પર 358 રન બનાવી લે તો તેની જીત નિશ્ચિત માનવામાં આવે છે, પરંતુ ભારત સાથે કંઈક વિચિત્ર બન્યું. રાયપુર વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે સીમિત 50 ઓવરમાં 358 રન બનાવ્યા હતા, છતા 4 વિકેટથી મેચ હાર મળી. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું, પહેલી વાર ભારત સામે આટલો મોટું લક્ષ્ય હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકા સારું રમ્યું, પરંતુ ભારતીય ટીમે પણ ખરાબ રમત બતાવવામાં કોઈ કમી ન દેખાડી. ચાલો ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 5 કારણો જાણીએ.
રાયપુર વન-ડેમાં ટીમ ઈન્ડિયાની હારના સૌથી મોટા કારણો ટોસ અને ઝાકળ હતા. રાયપુરમાં હવામાનને કારણે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. રાયપુરમાં સાંજે ભારે ઝાકળ પડે છે, જેના કારણે સ્કોરનો પીછો કરવો સરળ બને છે અને આ જ ફાયદો દક્ષિણ આફ્રિકાને મળ્યો. એટલા માટે દક્ષિણ આફ્રિકાએ 359 રનનું લક્ષ્ય ચેઝ કર્યું.
ડેથ ઓવર્સમાં ધીમી બેટિંગ
ટીમ ઈન્ડિયાએ 358 રન બનાવ્યા હતા, પરંતુ છેલ્લી 10 ઓવરમાં ખૂબ જ ધીમી બેટિંગ કરી. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ટીમે છેલ્લા 60 બોલમાં ફક્ત 74 રન જ બનાવ્યા. જાડેજા અને રાહુલની જોડી ઝડપથી રન બનાવી ન શકી; જો તેઓ ઝડપથી રમ્યા હોત તો ટીમનો સ્કોર 375થી વધુ થઈ શક્યો હોત.
પ્રસિદ્ધ કૃષ્ણાની નબળી બોલિંગ
ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ દક્ષિણ આફ્રિકાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે આ મેચમાં 2 વિકેટ લીધી હતી, પરંતુ તેણે 8 ઓવરમાં ૭૯ રન આપ્યા હતા. કુલદીપ યાદવે પણ 10 ઓવરમાં 78 રન આપ્યા હતા.
ભારતીય ટીમે ખરાબ ગ્રાઉન્ડ ફિલ્ડિંગ કરવામાં પણ કોઈ કસર ન છોડી. અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓએ ખૂબ મિસફિલ્ડિંગ કર્યા. ટીમ ઈન્ડિયાએ 3-4 વખત ઓવરથ્રો દ્વારા રન પણ ગુમાવ્યા, જેના પરિણામે રાયપુરમાં મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
યશસ્વી જયસ્વાલ
ભારતની હારનું મુખ્ય કારણ યશસ્વી જયસ્વાલ પણ રહ્યો. આ ખેલાડી બેટથી તો નિષ્ફળ ગયો જ, પરંતુ તેની નબળી ફિલ્ડિંગ પણ ટીમને મોંઘી પડી. યશસ્વી જયસ્વાલે માર્કરામનો એક સરળ કેચ છોડ્યો, જે તે સમયે ફક્ત 53 રન પર હતો. જીવનદાન મળ્યા બાદ બેટ્સમેને સદી ફટકારી. માર્કરામે 110 રન બનાવ્યા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp